For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૈત્રી પૂનમ: હનુમાન જન્મોત્સવ પર બની રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિના જાતકોને લાભ જ લાભ

Updated: Apr 20th, 2024

ચૈત્રી પૂનમ: હનુમાન જન્મોત્સવ પર બની રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિના જાતકોને લાભ જ લાભ

Hanuman Janmotsav 2024 : દેશભરમાં હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. જેમા આ વર્ષે 23 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થશે. હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સાથે સાથે તેમને તેમની મનપસંદ વસ્તુનો ભોગ લગાવવામાં આવે છે. 

આ વર્ષની હનુમાન જન્મોત્સવ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે એક સાથે અનેક સંયોગો બની રહ્યા છે. હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ ભગવાન અથવા દેવીને સમર્પિત હોય છે, અને તે દિવસે તેમની વિશેષ પૂજા - અર્ચના કરવામાં આવે છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે આવે છે. આ ઉપરાંત ચિત્રા નક્ષત્ર અને વજ્ર યોગનો પણ મહાસંયોગ આ દિવસે બની રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે હનુમાન જન્મોત્સવ પર બની રહેલા આ મહાસંયોગને કારણે અનેક રાશિઓના ભાગ્યના તાળા ખુલી શકે છે. તેમના દરેક બગડેલા કાર્યો સુધારી શકાય છે. આવો જાણીએ કે, હનુમાન જન્મોત્સવના દિવસે કઈ કઈ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે.

મિથુન રાશિ

હનુમાન જન્મોત્સવ પર બનતા આ મહાસંયોગના કારણે મિથુન રાશિવાળા લોકોના જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે. જો લાંબા સમયથી તમારુ કોઈ કામ અટકેલું છે, તો હવે પૂર્ણ થઈ શકે છે. તો હનુમાન જન્મોત્સવના દિવસે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સિવાય કુંડળીમાં આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને જલ્દીથી સારા સમાચાર મળી શકે છે. જે લોકોનો પોતાનો ધંધો રોજગાર કરે છે તેઓ સારો નફો કરી શકે છે. નોકરી કરનારાઓને  પ્રમોશન મળી શકે છે. આવતા મહિને પગાર પણ વધી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે અત્યારે કોઈ વસ્તુમાં રોકાણ કરો છો, તો તમને ભવિષ્યમાં તેનો મોટો ફાયદો થઈ શકે છે. ઓફિસમાં કામ કરતા લોકોનું માન સન્માન પણ વધી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોનું જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે જલ્દી પૂરું થઈ શકે છે. આ સિવાય તમારી કુંડળીમાં આર્થિક લાભ થવાના યોગ પણ  બની રહ્યા છે. જો તમે નવા ભાગીદારો સાથે કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમને પોઝીટિવ રિસ્પોન્સ મળી શકે છે.

કર્ક રાશિ

હનુમાન જન્મોત્સવના દિવસે બની રહેલા મહાસંયોગથી કર્ક રાશિવાળા જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે નોકરી કરો છો, તો તમારો પગાર પણ વધી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધી રહ્યા છે, તેઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે.


Gujarat