BIG NEWS
ઘરનો ઘાતકી કોણ? ગુજરાતની 6થી 7 બેઠકો પર ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કર્યાનો દાવો
By: gujaratsamachar.com | Updated at: 19 May 2024 3:12 AM (IST)
May 19, 2024 | 3:39 AM
પાંચમા તબક્કામાં રાહુલથી લઈને રાજનાથ સહિત 695 ઉમેદવારો ચૂંટણીના મેદાને, આ બેઠકો પર સૌની નજર
લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન સોમવાર (20મી મે)એ થવાનું છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શનિવારે શાંત થઈ ગયા છે. પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈ-પ્રોફાઈલ ચહેરાઓનો સમાવેશ થાય છે.
Read ArticleMay 19, 2024 | 3:15 AM
ચૂંટણી વચ્ચે ડ્રગ્સ સહિત 9000 કરોડની વસ્તુઓ જપ્ત, સૌથી વધુ ગુજરાતમાંથી, ECની મોટી કાર્યવાહી
દેશમાં લોકસભા ચૂંટણી તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. પહેલા ચાર તબક્કામાં કુલ 23 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો અને 543માંથી 379 બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આવા સમયે ચૂંટણી પંચે દેશમાં અત્યાર સુધીમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. 8889 કરોડની જપ્તી કરી છે, જેમાં રૂ.3959 કરોડના મૂલ્યના ડ્રગ્સનો સમાવેશ થાય છે તેમ ચૂંટણી પંચે શનિવારે જણાવ્યું હતું. ચૂંટણી પંચે ઉમેર્યું કે, ઈન્ટેલિજન્સ આધારિત સંકલિત કાર્યવાહીના પગલે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઐતિહાસિક પ્રમાણમાં વસ્તુઓ જપ્ત કરાઈ છે, જેમાં ગુજરાત રૂ. 1462 કરોડ સાથે ટોચ પર છે.
Read ArticleMay 19, 2024 | 3:14 AM
દેશના મજબૂત વિકાસ માટે 'ધાકડ' સરકાર જરૂરી, ચૂંટણી રેલીમાં PM મોદીએ આપ-કોંગ્રેસને પણ લપેટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ લોકસભા ચૂંટણી ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા મજબૂત અને સ્થિર સરકારની પસંદગી કરવા માટે છે. દેશના અર્થતંત્રને એવા લોકોથી બચાવવાનો છે, જેમની આર્થિક નીતિઓથી ભારત દેવાળીયાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370નો મુદ્દો ઉઠાવતા મોદીએ ફરી કહ્યું કે, તેમની ધાકડ સરકારે કલમ 370ની દિવાલ પાડી દીધી.
Read ArticleMay 19, 2024 | 3:13 AM
રામમંદિર પર બુલડૉઝર ફેરવવાના આરોપો ફગાવતાં ઉદ્ધવ, શરદ પવાર, ખડગેએ PM મોદીને ચારેકોરથી ઘેર્યા
જો વિપક્ષી ગઠબંધન સત્તા પર આવશે તો અયોધ્યામાં રામ-મંદિર પર બુલડોઝર ફેરવશે એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વખોડી કાઢતા જણાવ્યું હતું કે અમે સત્તા પર આવશું તો નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરશું અને દેશને બંધારણ મુજબ ચલાવશું.
Read ArticleMay 19, 2024 | 3:13 AM
ઘરનો ઘાતકી કોણ? ગુજરાતની 6થી 7 બેઠકો પર ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કર્યાનો દાવો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યુ પણ સાથે સાથે ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ પણ જેવચંદની ભૂમિકા અદા કરી હતી. કમલમ સુધી એવી ફરિયાદો પહોંચી છેકે, ચૂંટણીમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે પક્ષવિરોધી પ્રવૃતિ આચરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉંઠી છે. ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભાજપ શિસ્ત સમિતીએ શહેર-જીલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે જેમાં કોણે કોણે પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે તેની વિગતો માંગવામાં આવી છે.
Read Article