અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાન સુરક્ષા પર સવાલ, જાણો ભારતમાં થયેલા મોટા પ્લેન એક્સિડન્ટ.
જાપાન એરલાઇન્સ ફ્લાઇટ 471 લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતી ત્યારે પાલમ એરપોર્ટ નજીક, નવી દિલ્હીમાં 14 જૂન, 1972ના રોજ ક્રેશ થયું જેમાં સવાર 82 મુસાફરો અને ઘટના સ્થળે હાજર 3 નાગરિકો પણ માર્યા ગયા હતા.
31 મે, 1973ના રોજ પાલમ એરપોર્ટ, નવી દિલ્હીમાં પાઇલટની એક નાની ભૂલના કારણે ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 440 લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઇ હતી. જેમાં સવાર 65 મુસાફરોમાંથી 48 લોકોના મોત થયા હતા.
ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 171નું 12 ઓક્ટોબર, 1976ના રોજ મુંબઈમાં એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું. જેના કારણે પ્લેનમાં ભયંકર આગ લાગી જવાથી પ્લેનમાં સવાર તમામ 95 મુસાફરોના મોત થયા હતા.
એર ઇન્ડિયાનું બોઇંગ 747, 1 જાન્યુઆરી, 1978ના રોજ મુંબઈમાં ટેકઓફ થયાના થોડા સમય પછી અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું. જેમાં 213 લોકોના મોત થયા. તેનું કારણ પાઇલટની ભૂલ અને સાધનોમાં ખરાબી હોવાનું કહેવાય છે.
ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-113 અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી 2 કિમી દૂર 19 ઓક્ટોબર, 1988ના રોજ ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ હતી. પ્લેનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 લોકોના મોત થયા. ફક્ત બે જ લોકો બચી ગયા હતા.
ભારતના ઇતિહાસમાં સૌથી ભયાનક પ્લેન દુર્ઘટના. જેમાં 12 નવેમ્બર, 1996ના રોજ સાઉદી અરેબિયા એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સના બે પ્લેન ચરખી દાદરી, હરિયાણામાં હવામાં અથડાયા હતા. જેમાં 349 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
એલાયન્સ એર ફ્લાઇટ CD-7412 પટના એરપોર્ટ પર 17 જુલાઈ, 2000ના રોજ લેન્ડિંગ દરમિયાન પાઇલટે કાબુ ગુમાવી ડેટા ક્રેશ થઈ ગઈ. જેમાં 60 લોકોનાં મોત થયાં હતા.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-812 મેંગલોર, કર્ણાટકમાં 22 મે, 2010ના રોજ લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદ અને રનવેની સ્થિતિ ખરાબ હોવાના કારણે રનવે પરથી સ્લીપ થઈને ખાડામાં પડી ગઈ. જેમાં 158 લોકો મરી ગયા હતા.
7 ઓગસ્ટ, 2020ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1344, જે વંદે ભારત મિશનનો ભાગ હતી, ભારે વરસાદ વચ્ચે લેન્ડિંગ કરતી વખતે કોઝિકોડ, કેરળમાં રનવે પરથી સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બંને પાઇલટ સહિત 18 લોકોના મોત થયા હતા.
જાન્યુઆરી 2023ના રોજ ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં બે ફાઇટર જેટ (સુખોઈ અને મિરાજ 2000) વચ્ચે હવામાં ટક્કર થઈ હતી. આ એક્સિડન્ટમાં એક પાયલોટનું મોત થયું હતું.