દરરોજ સૂર્યદેવને જળ કેવી રીતે ચઢાવવું જોઈએ? જાણો સાચો નિયમ.
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે સાક્ષાત દેખાય છે.
શાસ્ત્રોમાં સૂર્યદેવને આત્મા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય, નેતૃત્વ ક્ષમતા, સરકારી કાર્યો અને સન્માન સાથે જોડીને જોવામાં આવે છે. આ જ કારણ છે કે દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે.
પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે સૂર્યદેવને જળ ચઢાવવાના સાચા નિયમો શું છે?.
દરરોજ સવારે સૂર્યદેવની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે.
સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરરોજ સવારે સૂર્યોદય સમયે જ અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.
જે લોકો સૂર્યદેવને જળ ચઢાવે છે, તેમણે સૂર્યોદય પહેલા પથારી છોડી દેવી જોઈએ (વહેલા ઉઠવું જોઈએ).
સૂર્યને જળ ચઢાવવા માટે હંમેશા તાંબાના લોટાનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
જળ ચઢાવતી વખતે સૂર્ય મંત્રો જેવા કે 'ૐ સૂર્યાય નમઃ', 'ૐ આદિત્યાય નમઃ', 'ૐ ભાસ્કરાય નમઃ' વગેરેનો સતત જાપ કરવો જોઈએ.
જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં નથી, તેમણે દરરોજ સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આનાથી સૂર્યના દોષ દૂર થઈ શકે છે.
આ માહિતી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાતોની સલાહ જરૂર લેવી.