અમદાવાદમાં પહેલી રથયાત્રા ક્યારે નીકળી હતી? જાણો જમાલપુર જગન્નાથ મંદિરનો ઇતિહાસ.

અમદાવાદમાં આજે 27 જૂન, 2025ના રોજ, 148મી રથયાત્રા યોજાઈ છે, ત્યારે શહેરમાં રથયાત્રાનો ઈતિહાસ જાણીએ.

લગભગ સાડા ચારસો વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી.

ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સપનામાં દર્શન આપ્યા, જેના બાદ અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ હતી.

02 જુલાઈ, 1878ના રોજ અમદાવાદમાં પહેલી રથયાત્રા નીકળી હતી, જે મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી.

148 વર્ષ પહેલા નરસિંહદાસજીએ શરૂ કરાવેલી રથયાત્રા આજે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.

જો જગન્નાથ મંદિરની વાત કરીએ તો મંદિરની સ્થાપના મહંત સારંગદાસજીએ કરાવી હતી.

સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપવાનો આદેશ મળ્યો અને તેઓ પુરીથી લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવ્યા.

આ મૂર્તિઓની ધામધૂમથી પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ રીતે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.

More Web Stories