પ્રદૂષણ એટલે શું ? તે કેવી રીતે થાય અને શું નુકશાન કરે ?
પ્રદૂષણ અને પોલ્યુશન જેવા શબ્દો જાણીતા છે. પ્રદૂષણ માણસજાતના આરોગ્ય પર વિપરિત અસર કરે છે. હવા, પાણી અને જમીન એ સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર છે.
આ ત્રણે વસ્તુમાં બગાડ કે અશુધ્ધિ ભળે તો સજીવ સૃષ્ટિના જીવન પર પણ અસર થાય.
પૃથ્વી પર વાહન વ્યવહાર અને કારખાના જેવી પ્રવૃત્તિથી હવા, પાણી અને જમીનમાં અશુધ્ધિઓ ભળે છે. વાહનોના ધૂમાડા, કેમિકલ કારખાનાઓમાંથી છોડવામાં આવતા પાણી અને પ્લાસ્ટિક જેવા કચરા અશુધ્ધિઓ કહેવાય છે.
તેને પ્રદૂષણ કે પોલ્યુશન કહે છે. હવામાં ધૂમાડો વધુ હોય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખોમાં બળતરા થાય છે. જમીનમાં અશુધ્ધિ ભળે તો પાકને નુકસાન થાય. પ્રદૂષણ વિશે અન્ય વાતો પણ જાણવા જેવી છે.
કોઈ પણ બળતણ સળગાવવાથી પેદા થતા ધૂમાડામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ હોય છે. જે હવામાં પ્રદૂષણ કરે છે. વાહનોમાં પેટ્રોલ બળે ત્યારે નીકળતો ધૂમાડો પ્રદૂષિત હોય છે. આજે પ્લાસ્ટિકનો ઉપયોેગ વધી ગયો છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પરનુ સૌથી મોટું પ્રદૂષણ છે.
આમ માનવપ્રવૃત્તિથી જ પ્રદૂષણ વધે છે. ઘણા દેશો પ્રદૂષણ ઓછુ કરવા વિવિધ ઉપાયો અને જરૃર પડયે કાયદા પણ બનાવે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar