Get The App

કુદરતી આફત : ભૂકંપ વિશે જાણવા જેવું

Updated: Dec 16th, 2017

GS TEAM


Google News
Google News
કુદરતી આફત : ભૂકંપ વિશે જાણવા જેવું 1 - image

*  પૃથ્વી પર દર વર્ષે હજારો ભૂકંપ થાય છે. કેટલાક ભૂકંપ હળવા હોય છે. લોકોને ખબર જ હોતી નથી. પૃથ્વી પર દરરોજ કયાંક ને ક્યાંક ભૂકંપ થતો જ હોય છે.

*  ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ કે સમય નથી તે ગમે ત્યારે ગમે ત્યાં થાય છે.

*  મોટા ભાગના ભૂકંપ જમીનમાં ૮૦ કિલોમીટરથી ઓછી ઊંડાઈએ થાય છે

*  ભૂકંપની તીવ્રતા માપવા સિસ્મોગ્રાફ નામનું સાધન વપરાય છે.

* ઇલેકટ્રોનિક સિસ્મોગ્રાફ નહોતા ત્યારે ભૂકંપનું માપ જાણવા લોખંડના વિરાટ ગોળાના લોલકનો ઉપયોગ થતો. ૨૦ ટન વજનના ગોળાવાળા લોલક આજે પણ જોવા મળે છે.

*  ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના પેટાળમાં જ્યાંથી ભૂકંપ પેદા થાય તેને હાઈપો સેન્ટર અને તેની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા સ્થાનને એપી સેન્ટર કહે છે.

*  હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બનેલી.

*  દરિયાના પેટાળમાં ભૂકંપ થાય ત્યારે દરિયાનંુ પાણી હલબલી જાય છે અને મોજાં ઉછળે છે. આ તોફાનને સુનામી કહે છે.

*  પૃથ્વીની જેમ ચંદ્ર અને અન્ય ગ્રહો પર પણ ભૂકંપ થાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :