કુદરતી આફત : ભૂકંપ વિશે જાણવા જેવું
* પૃથ્વી પર દર વર્ષે હજારો ભૂકંપ થાય છે. કેટલાક ભૂકંપ હળવા હોય છે. લોકોને ખબર જ હોતી નથી. પૃથ્વી પર દરરોજ કયાંક ને ક્યાંક ભૂકંપ થતો જ હોય છે.
* ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ કે સમય નથી તે ગમે ત્યારે ગમે ત્યાં થાય છે.
* મોટા ભાગના ભૂકંપ જમીનમાં ૮૦ કિલોમીટરથી ઓછી ઊંડાઈએ થાય છે
* ભૂકંપની તીવ્રતા માપવા સિસ્મોગ્રાફ નામનું સાધન વપરાય છે.
* ઇલેકટ્રોનિક સિસ્મોગ્રાફ નહોતા ત્યારે ભૂકંપનું માપ જાણવા લોખંડના વિરાટ ગોળાના લોલકનો ઉપયોગ થતો. ૨૦ ટન વજનના ગોળાવાળા લોલક આજે પણ જોવા મળે છે.
* ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના પેટાળમાં જ્યાંથી ભૂકંપ પેદા થાય તેને હાઈપો સેન્ટર અને તેની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા સ્થાનને એપી સેન્ટર કહે છે.
* હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બનેલી.
* દરિયાના પેટાળમાં ભૂકંપ થાય ત્યારે દરિયાનંુ પાણી હલબલી જાય છે અને મોજાં ઉછળે છે. આ તોફાનને સુનામી કહે છે.
* પૃથ્વીની જેમ ચંદ્ર અને અન્ય ગ્રહો પર પણ ભૂકંપ થાય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar