ભારતનો અજાયબ કરોળિયો : રામેશ્વરમ્ પેરેશૂટ સ્પાઇડર
આ કરોળિયો નાના જંતુઓના દરમાં ઝેરની પિચકારી છોડી શિકાર કરે છે. આ કરોળિયો દરિયાકાંઠે થતા તાડ કે નાળિયેરી પર રહે છે.
દક્ષિણ ભારતના પ્રખ્યાત રામેશ્વર ટાપુ પર ૨૦૦૪માં એક અજાયબ કરોળિયો મળી આવેલો. જીવશાસ્ત્રીઓએ આ કરોળિયાને રામેશ્વરમ્ સ્પાઇડર નામ આપેલું.
કરોળિયાનું શરીર મોરના પીંછા જેવું તેજસ્વી લીલુ હોય છે અને પગ પીળા હોય છે. આ કરોળિયાને બંને બાજુ ચાર ચાર એમ આઠ પગ હોય છે. તે લગભગ ૪ સેન્ટીમીટર લાંબા હોય છે.
આ કરોળિયો નાના જંતુઓના દરમાં ઝેરની પિચકારી છોડી શિકાર કરે છે. આ કરોળિયો દરિયાકાંઠે થતા તાડ કે નાળિયેરી પર રહે છે. આ કરોળિયાના પગ આઠ ઇંચ લાંબા હોય છે.
તે ઊંચી નાળિયેરી પરથી પેરેશૂટની જેમ ઉતરાણ કરીને જમીન પરના જીવડાનો શિકાર કરે છે. રામેશ્વર ઉપરાંત શ્રીલંકામાં પણ આ કરોળિયા જોવા મળે છે. હવે આ જાતિ લુપ્તપ્રાય થઇ ગઇ છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar