Get The App

આરસપહાણ કેવી રીતે બને છે ?

Updated: Mar 17th, 2018

GS TEAM


Google News
Google News
આરસપહાણ  કેવી રીતે બને છે ? 1 - image

સફેદ દૂધ જેવા પથ્થરોથી બનેલો તાજમહાલ વિશ્વપ્રસિધ્ધ છે. આ સફેદ પથ્થરોને આરસપહાણ કહે છે. તે જમીનમાંથી મળતો કુદરતી પથ્થર જ છે. મંદિરો અને મહેલોની સુંદર ઇમારતો બાંધવા તે વપરાય છે.
જમીનમાંથી મળતાં ખનીજોમાં ધાતુ ઉપરાંત ઘણી જાતના પત્થરો અને ખડકો હોય છે.

કાર્બોનેટના ખડકો ધીમે ધીમે  આરસ બને છે. કાર્બોનેટ એટલે ચૂનો. તેના ખડકો જમીનના પેટાળમાં વધુ ઊંડા હોય ત્યાં પ્રચંડ દબાણ હેઠળ દબાઈને સફેદ અને સુંવાળો ખડક બને છે.

શુધ્ધ ચૂનાના ખડકમાંથી સફેદ આરસ બને છે. ચૂના સાથે અશુદ્ધિઓ કે અન્ય દ્રવ્ય હોય તે મુખ્ય કાળા રંગના પણ આરસ બને છે. સફેદ આરસમાં દેખાતી કાળી કે ઝાંખી કાળી રેખાઓ આ અશુધિની હોય છે.

વિશ્વમાં ઘણા દેશોમાં આરસની ખાણો છે. વિવિધ પ્રદેશમાં જુદી જુદી જાતના આરસ મળે છે.  તે ખડક સ્વરૃપે કાઢીને કાપકૂપ કરીને લંબચોરસ પાટડા બને છે. તેને પોલિશ વગેરે કરી વધુ સુંદર બનાવાય છે. ભારતમાં મકરાણાનો આરસ સૌથી વધુ સફેદ છે.

સ્પેનમાં મેકીલ અને અલ્મીરાનો આરસ પણ સફેદ છે. પાકિસ્તાનમાં ઝિયારત સફેદ અને બાદલ નામના કાળા આરસની ખાણો છે. આરસ નરમ અને સુંવાળો હોવાથી શિલ્પ કામમાં તેનો વધુ ઉપયોગ થાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :