Get The App

અણુશક્તિ મેળવવા યુરેનિયમ જ કેમ વપરાય છે?

Updated: Dec 10th, 2021

GS TEAM


Google News
Google News
અણુશક્તિ મેળવવા યુરેનિયમ જ કેમ વપરાય છે? 1 - image


અ ણુ રિએકટર કે એટમબોમ્બમાં અણુનો વિસ્ફોટ કરીને શક્તિ પેદા કરાય છે. અણુનું વિભાજન થાય ત્યારે પ્રચંડ ગરમી અને રેડિયેશન પેદા થાય છે. તેને અણુશક્તિ, અણુઊર્જા કે એટમિક એનર્જી કહે છે.

દરેક ધાતુના અણુનું વિભાજન થઈ શકે અને શક્તિ પેદા કરી શકાય છે. અણુના વિભાજનમાં તેના કેન્દ્રમાં રહેલા પ્રોટીનની સંખ્યા મહત્વની છે. જે ધાતુના અણુમાં પ્રોટીનની સંખ્યા વધુ હોય તેમાંથી વધુ ઉર્જા મળે. વિજ્ઞાાનમાં તેને અણુભાર કહે છે. સૌથી હળવા પદાર્થ હાઈડ્રોજનનો અણુભાર એક છે. હાઈડ્રોજનના અણુના વિભાજનથી મર્યાદિત શક્તિ પેદા થાય છે અને હાઈડ્રોજન બોમ્બ બનાવવા વપરાય છે. હાઈડ્રોજન બોમ્બ પણ શક્તિશાળી ગણાય છે. પરંતુ વીજળીના ઉત્પાદન માટે વધુ ઉર્જા જોઈએ. યુરેનિયમ ધાતુ સૌથી ભારે છે તેના કેન્દ્રમાં ૯૨ પ્રોટોન હોય છે. તેના અણુ વિભાજનથી વધુ શક્તિ મેળવી શકાય છે. એટલે અણુઉર્જા મેળવવા યુરેનિયમ શ્રેષ્ઠ ધાતુ છે.

યુરેનિયમ પૃથ્વીના પેટાળમાં ખનીજ સ્વરૂપે મળે છે. તેને શુધ્ધ કરીને વિવિધ ગ્રેડની સળીઓ બનાવાય છે તેનો રિએક્ટરમાં ઉપયોગ થાય છે. અણુભઠ્ઠીમાં મુઠ્ઠીભર યુરેનિયમમાંથી ૭૦ ટન કોલસા બળે તેટલી ગરમી  પેદા થઈ શકે છે.

Tags :