આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અર્ધ વર્તુળાકાર કેમ હોય છે?
વ રસાદ પડયા પછી આકાશમાં મેઘધનુષ્ય જોવાની મજા તો તમે માણી જ હશે. વાતાવરણમાં રહેલાં પાણીના ફોરામાંથી સૂર્યપ્રકાશનું વક્રીભવન થઇને સાત રંગનું અદ્ભૂત મેઘધનુષ્ય રચાય છે. તે તો તમે જાણો જ છો પરંતુ મેઘધનુષ્ય ક્ષિતિજમાં અર્ધવર્તુળાકાર જ કેમ હોય છે ? સૂર્યપ્રકાશના કિરણો સીધી લીટીમાં જ ગતિ કરે છે એટલે તેની સીધ હંમેશા વર્તુળાકાર વ્યાપમાં જ પકડાતી હોય છે. મેઘધનુષ્ય ખરેખર તો, સંપૂર્ણ વર્તુળ જ હોય છે. જમીન પરથી આપણને તેનો અર્ધ હિસ્સો જ દેખાય છે. આકાશમાં ઊડતા વિમાનમાંથી પાયલોટને ઘણીવાર સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ્ય જોવા મળતું હોય છે.