Get The App

ભેજવાળા વાતાવરણમાં પરસેવો કેમ વધી જાય છે?

Updated: Jun 20th, 2020

GS TEAM


Google News
Google News
ભેજવાળા વાતાવરણમાં પરસેવો કેમ વધી જાય છે? 1 - image


ચો માસામાં આકાશમાં વાદળો ઘેરાય પણ વરસાદ ન આવે ત્યારે બફારો અને ઉકળાટ વધી જાય છે. લોકો પરસેવે રેબઝેબ થઈ જાય છે. સામાન્ય રીતે પરસેવો એ શારીરિક પ્રક્રિયા છે. પરંતુ ભેજવાળા વાતાવરણમાં બાહ્ય પરિબળ પણ તેમાં અસર કરે છે.

પરસેવાનું મુખ્ય કામ શરીર પરથી બાષ્પીભવન થઈ શરીરનું તાપમાન જાળવી રાખવાનું છે. શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી કરતાં વધી જાય તો પરસેવો વળીને તેને ઠંડુ કરે. બાષ્પીભવન થયેલો પરસેવો ભેજ સ્વરૂપે હવામાં ભળે છે.

પરંતુ વાતાવરણમાં પહેલેથી જ ભેજ વધારે હોય તો પરસેવાની ભેજ માટે સ્થાન રહેતું નથી એટલે બાષ્પીભવન ઓછું થઈ શરીર પરસેવો જમા થાય છે. પરસેવો વળવાની પ્રક્રિયા ચાલુ જ હોય પણ તે ઉડીને હવામાં ભળે નહીં તે વધી જાય એટલે પરસેવો વધુ હોય છે.

ભેજવાળી હવામાં બહાર સૂકવેણ કપડાં પણ જલદી સુકાતાં નથી. હવામાં ભેજનું પ્રમાણ વધે તેની મર્યાદા હોય છે. સંપૂર્ણ ભેજ થાય ત્યારે હવા સંતૃપ્ત થઈ તેમ કહેવાય છે. સંતૃપ્ત થયેલી હવાને ગરમી મળે તો દૂર થાય અને તેમાનો ભેજ પણ ઉડે. પંખા નીચે ઉભા રહીએ તે પરસેવો ઉડવા માંડે છે. તેનું કારણ પંખાને કારણે સંતૃપ્ત હવા દૂર થાય છે.

Tags :