વરસાદના પ્રકાર અને માપ .
દરિયા અને જળાશયોનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ વરાળ બની આકાશ તરફ જાય અને પછી તે વરાળ ઠંડી પડીને વરસાદ સ્વરૂપે વરસે આ જાણીતી વાત છે પરંતુ વિજ્ઞાાનીઓએ વરસાદના લક્ષણ પ્રમાણે પ્રકાર પાડયા છે. સામાન્ય રીતે વરસાદ ત્રણ પ્રકારનો હોય છે તે કન્વેક્શનલ (વાહનિક), રિલીફ (પર્વતીય) અને સાયકલોનિક (ચક્રવાત) કહેવાય છે. કન્વક્શેનલ વરસાદ મોટે ભાગે વિષુવૃત પર થાય છે. અને મૂશળધાર હોય છે.
પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોમાં પર્વતીય કે રિલીફ રેઈન વરસે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું હિમાલય પર્વતને કારણે સર્જાય છે તે પવર્તીય વર્ષા છે. સમગ્ર મધ્યએશિયા હિમાલયની વૃષ્ટિ છાયાનો પ્રદેશ કહેવાય છે. વિશ્વના ઠંડા પ્રદેશોમાં ચક્રવાત વરસાદ થાય છે. તેમાં ચક્રવાત અને આંધીના તોફાન વધુ હોય છે. ચક્રવાત વર્ષા ગરમીના દિવસોમાં વધુ થાય છે અને તેની કોઈ મોસમ હોતી નથી. વરસાદનું માપ ઇંચમાં કે સેન્ટીમીટરમાં લેવાય છે. ભારતમાં ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં વરસાદ માપવાના યંત્ર હતા. વરસાદ માપવાના સાધનને રેઇનગોજ કહે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ગણાય તેવું સાધન ૨૦ સેન્ટીમીટર વ્યાસના ૫૦ સેન્ટીમીટર ઊંચા નળાકારમાં બે સેન્ટીમીટરના વ્યાસવાળી ભૂંગળીની ગળણી મૂકીને બનાવાય છે. સિલિન્ડર ઉપર ૦.૫ મી.મી.ના આંક હોય છે.