Get The App

પૃથ્વી પરનું અદ્ભૂત રસાયણ : પાણી

Updated: Nov 10th, 2023

GS TEAM

Google News
Google News
પૃથ્વી પરનું અદ્ભૂત રસાયણ : પાણી 1 - image


- પ્રાણી, પક્ષીઓ, મનુષ્યો અને વનસ્પતિ સહિતના જીવન માટે પાણી પ્રથમ જરૃરિયાત છે. પૃથ્વી પર પાણી છે એટલે જ સજીવ સૃષ્ટિ છે અને આ પાણી પ્રકૃતિના અન્ય તત્વો કરતાં થોડું વિશિષ્ટ પણ છે. જગતના તમામ ધર્મમાં પાણીને દેવ ગણાય છે.

- પૃથ્વી પર પાણીનો જથ્થો બે અબજ વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે. માત્ર તેના સ્વરૃપમાં ફેરફાર થાય છે.

- વાતાવરણમાં પાણીનો પુષ્કળ જથ્થો વરાળ સ્વરૃપે રહેલો છે.

- વિશ્વની હિમનદીઓમાં એટલું પાણી છે કે જો બધું વરસાદ બની વરસે તો પૃથ્વી પર ૬૦ વર્ષ વરસાદ ચાલુ રહે.

- દરિયામાંથી સૂર્યની ગરમીથી વરાળ બનેલું પાણી વાતાવરણમાં ૧૦ દિવસ રહે છે ત્યાર બાદ વાદળ બંધાઈને વરસાદ વરસે છે. પાણી જામીને બરફ બને ત્યારે તેનું કદ વધે છે.

- પૃથ્વી પરનું ૭૦ ટકા  પાણી ખેતીમાં વપરાય છે.

- ખારા પાણીમાં બનેલા બરફમાં મીઠું હોતું નથી.

- પાણી એવું રસાયણ છે કે સૌથી વધુ પદાર્થો તેમાં ઓગળે છે.

- પાણીમાં ક્ષારનું પ્રમાણ પી.પી.ટી.થી મપાય છે. એક પીપીટી એટલે એક કિલો પાણીમાં એક ગ્રામ ક્ષાર.

- પાણીમાં જેમ ક્ષાર વધુ તેમ તેને ઉકળતા અને થીજીને બરફ બનતાં વધુ સમય લાગે.

- પાણી ઉકળીને વરાળ બને ત્યારે તેનું કદ ૧૪ ગણું થાય છે અને પ્રચંડ શક્તિ પેદા કરે છે.

Tags :