ખારા પાણીનાં જંગલ મેન્ગ્રુવ .
ઉષ્ણ કટિબંધના ગરમ પ્રદેશના દરિયા કિનારે જોવા મળતી મેન્ગ્રુવ વનસ્પતિ અન્ય વનસ્પતિ કરતા જુદી હોય છે તેના જંગલ પણ વિશિષ્ટ હોય છે. ખારા પાણીવાળી જમીન અને દરિયાકાંઠાની વિશિષ્ટ આબોહવાને કારણે આ વનસ્પતિ પણ વિશેષતા ધરાવે છે.
દરિયામાં ભરતી આવે ત્યારે કાંઠાની જમીન પર પાણી ભરાય છે. આ ખારા પાણીમાં ઘણી જાતની વનસ્પતિ થાય છે તેના મૂળ અર્ધા પાણીમાં અને અર્ધા જમીનની બહાર હોય છે. ખારા પાણી પીને વિકાસ પામતી આ વનસ્પતિ મોટે ભાગે ઘાસ જેવી લાંબી હોય છે. સમુદ્ર કાંઠાના તીવ્ર પવનો, ક્ષારવાળા વાતાવરણ અને ઓછા ઓક્સિજનવાળા વાતવરણમાં કહેલી આ વનસ્પતિ ભરતી સમયે સમુદ્રના જોરદાર મોજાનો પણ સામનો કરે છે. ભારતમાં બંગાળના સુંદરવનના મેન્ગ્રુવ જંગલ વિશ્વ પ્રસિદ્ધ છે. આ જંગલમાં ૫૦ માળની વનસ્પતિ થાય છે તેના મૂળ કાદવ કીચડમાંથી જમીન તરફ ફેલાય છે. ઘણી વનસ્પતિને થડ હોતા જ નથી. મૂળિયાના સમૂહ જ થડની ગરજ સારે છે. મેન્ગ્રુવ વનસ્પતિનાં પાન ઓછા અને મૂળ વધારે હોય છે. ઓક્સિનિયા નામની વનસ્પતિને ત્રણ મીટર લાંબા છોડમાં હજારો મૂળ હોય છે. આ વનસ્પતિ પર્યાવરણ માટે ઉપયોગી છેે. દરિયા કાંઠાના ધોવાણને અટકાવે છે.