Get The App

ભારતીય વનસ્પતિશાસ્ત્રી : ડો.જે. જે. ચિનોય

Updated: Nov 26th, 2021

GS TEAM


Google News
Google News
ભારતીય વનસ્પતિશાસ્ત્રી : ડો.જે. જે. ચિનોય 1 - image


- વિશ્વના વિજ્ઞાાનીઓ

કૃ ષિ ક્ષેત્રમાં વિકાસ માટે વનસ્પતિ શાસ્ત્ર મહત્વનો અભ્યાસ છે. વિશ્વના ઘણા વનસ્પતિ શાસ્ત્રીઓએ સંશોધનો કરી માણસ માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવતા અનાજ વગેરેની નવી નવી જાત વિકસાવીને યોગદાન કર્યું છે. તેમાં ભારતનાં ડો.ચિનોયનું નામ મોખરે છે. દુષ્કાળમાં ઓછા પાણીમાં રોગમુક્ત વનસ્પતિ વિકસાવવામાં તેમનો અભૂતપૂર્વ ફાળો છે.

ડો.જમશેદજી જીજીભાઈ ચિનોયનો જન્મ ઇ.સ.૧૯૦૯ના ફેબ્રુઆરીની ૧૮ તારીખે ગુજરાતના ભૂજ ગામે થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ૧૯૨૯માં બોટનીમાં બી.એસ.સી.ની ડિગ્રી મેળવી હતી. ઉચ્ચ વર્ગમાં પ્રથમ નંબરે ગ્રેજ્યુએટ થયેલા જમશેદજીને સરકારી સ્કોલરશીપ અને ફેલોશીપ મળેલા. 

ભારત સરકારે તેમને વધુ સંશોધનો કરવા બ્રિટન મોકલ્યા હતા. લંડન યુનિવર્સિટીમાં ઇમ્પિરિયલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ભારત આવ્યા અને ભારતની કેન્દ્રીય કપાસ કમિટિમાં વિજ્ઞાાની તરીકે જોડાયા. 

ઇ.સ.૧૯૪૧માં તેઓ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં વિજ્ઞાાની તરીકે જોડાયા તે દરમિયાન દેશ આઝાદ થયો અને તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં બોટનીના પ્રોફેસર તરીકે જોડાયા. તેમણે વનસ્પતિ શાસ્ત્રમાં લગભગ ૨૦૦ જેટલા સંશોધન પત્રો લખેલા અને વિશ્વપ્રસિધ્ધ મેળવી બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશોમાં જઈ કૃષિ ક્ષેત્રે માર્ગદર્શન આપેલા.

ડો.ચિનોય પરિશ્રમી અને શિસ્તબધ્ધ વિજ્ઞાાની હતા. તેઓ કદી ગુસ્સે થતાં નહી અને મુદુ સ્વભાવને કારણે લોકપ્રિય થયેલા. તેમણે પ્રોફેસર તરીકે અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના શિષ્યો અગ્રણી વિજ્ઞાાનીઓ બન્યા હતા. 

તેમણે સેલ્યુલર અને મેરલક્યુલ બાયોલોજીમાં અદ્ભૂત યોગદાન આપેલા. તેમણે જીવનભર આદર્શ પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી. ઇ.સ.૧૯૭૮ના માર્ચની ૧૨ તારીખે તેમનું અવસાન થયું હતું.

Tags :