Get The App

ચાંગા કેનાલમાં પાણી નહીં છોડાતા પંમ્પીંગ સ્ટેશને ખેડૂતોનો હલ્લાબોલ

- કાંકરેજ પંથકમાં વરસાદના અભાવે પાક સુકાવાના આરે

- ભરચોમાસે ઊભો પાક બચાવવા સિંચાઈ માટે ટળવળતા ખેડૂતો પમ્પીંગ સ્ટેશન દોડી ગયા

Updated: Sep 1st, 2018

GS TEAM


Google News
Google News
ચાંગા કેનાલમાં પાણી નહીં છોડાતા પંમ્પીંગ સ્ટેશને ખેડૂતોનો હલ્લાબોલ 1 - image

મહેસાણા,તા. 31 ઓગસ્ટ 2018, શુક્રવાર

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ-દાંતીવાડા પંથકમાં અંડર ગ્રાઉન્ડ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. ચાંગા પમ્પીંગ સ્ટેશન દોડી જઈ સિંચાઈ માટે તળાવોમાં પાણી ઠાલવવા માંગ કરતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મામલે નર્મદા નિગમને પાણી આપવાની માંગ કરાઈ છે.

કાંકરેજના ચાંગા ગામે આવેલા સુજલામ-સુફલામના પમ્પીંગ સ્ટેશને શુક્રવારે ૧૦૦થી વધુ ખેડૂતો દોડી ગયા હતા. ભરચોમાસે ઉભા પાકને પાણી આપવા ટળવળતા ખેડૂતો કાકરેજ, દાંતીવાડા અને ડીસા સહિતના ત્રણ પંથકમાં અંડર ગ્રાઉન્ડ નેટવર્ક ધરાવતી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા મથી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે અપુરતા વરસાદ વચ્ચે નર્મદા ડેમમાં પાણીની વધઘટમાં કેનાલમાં મર્યાદિત પાણી છોડાયું છે. આથી નર્મદા દ્વારા વિસ્તારની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ઠલવાય તો ત્રણેય તાલુકાના ૪૫ તળાવો ભરવામાં આવે તેમ છે.

સામાન્ય રીતે દર વર્ષે આ સમય દરમિયાન સારા ચોમાસાની સ્થિતિએ તળાવોમાં પાણી ઠાલવવામાં આવે છે. જેનો સિંચાઈ સહિત પશુપાલન માટે પણ ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. ઘણીવખત ખરીફ સાથે રવિસિઝનના મધ્યકાળ સુધી તળાવોનું પાણી ઉપયોગમાં લઈ શકાય છે. જોકે આ વખતે અપુરતો વરસાદ હોવાથી ઉભા પાકોને જળસંકટની સ્થિતિ બનતા સિઝન બચાવવા ખેડૂતો તંત્ર સમક્ષ કેનાલમાં પાણી છોડવા જણાવી રહ્યા છે. દોડધામને પગલે સુજલામ-સુફલામ દ્વારા નર્મદા નિગમને પાણી આપવા રજૂઆત કરાઈ છે.

Tags :