પુરાણોક્ત કથાઓના પ્રતીકને સમજીને એનો ગૂઢાર્થ પકડવાનો છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- અધ્યાત્મવાદીઓ કહેશે ખોળિયું ખાલી થયું. આત્મા અમર છે. એ પણ મૃત્યુની વ્યાખ્યા નથી. સાવિત્રીએ હજારો વરસ પહેલાં મૃત્યુને સમજવાનો પ્રયત્ન કર્યો હતો
ભારતીય પંચાંગ મુજબ આજે જેઠ શુક્લ પૂણમા અથવા કહો કે વટસાવિત્રી પૂનમ છે. પતિના આરોગ્ય અને આવરદા માટે પત્ની વટવૃક્ષની પૂજા કરે છે અને પુરાણ કથા મુજબ યમદેવ સાથે ચર્ચા કરે છે. પુરાણની કથા મુજબ તો સત્યવાનને મૃત્યુના દેવ લઇ જવા આવ્યા છે અને સાવિત્રી એમને અટકાવે છે.
બહુ રસપ્રદ કથા છે. એનો શબ્દાર્થ લેવાનો નથી. એનો મર્મ કે ગૂઢાર્થ સમજવાનો છે. ઓશો કહેતા, જીવ માત્ર મૃત્યુથી ડરે છે. જીવનમાં એક માત્ર અનિવાર્ય કશું હોય તો એ મૃ્ત્યુ છે. ગીતામાં પણ કહ્યું કે જાતસ્ય હિ ધુ્રવોર્મૃત્યુ... જન્મ્યા એટલા જાવાના. મૃત્યુનો ડર ન હોય તો લોકો ધરમ ધ્યાન કરે નહીં એમ ઓશો કહેતા.
વાસ્તવમાં વટસાવિત્રીની કથા ીશક્તિની કથા છે. ભારતમાં પ્રાચીન કાળથી ી સમર્થ હતી, શક્તિવાન હતી. આમાં શક્તિવાન એટલે એમ કે રણમેદાનમાં પણ ી પાછી પડતી નહોતી. રામાયણમાં કૈકેયી અને મહાભારતમાં દ્રૌપદીની યુદ્ધવિદ્યાનો ઉલ્લેખ છે. સત્યભામા અને રુક્ષ્મણી પણ વીરાંગના હતી. પ્રાચીન કાળની ીઓ ખરા અર્થમાં પુરુષ સમોવડી હતી.
આજે ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ સોફિયા કુરૈશી જેવી મહિલાઓ છે એમ પ્રાચીન કાળની ભારતીય મહિલાઓ યુદ્ધવિદ્યામાં પણ નિષ્ણાત હતી. ઘણી રીતે ભારતીય નારી સર્વગુણસંપન્ન હતી. પંડિત મંડનમિશ્રની પત્ની ગાર્ગી અને મૈત્રેયીએ આદિ શંકરાચાર્યને શાાર્થ ચર્ચામાં પરાજિત કરેલા એવા ઉલ્લેખો છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે ભારતીય નારી ક્યારેય પુરુષ કરતાં ઊતરતી નહોતી. આજે પણ નથી. ફરક માત્ર એટલો છે કે આજે પુરુષમાં રહેલો પશુ ગમે ત્યારે ભાન ભૂલી જાય છે. પરિણામે બળાત્કાર જેવી ઘટનાઓ વધ્યે જાય છે.
સાવિત્રી યમરાજ સાથે ચર્ચા કરે છે એનો સરળ અર્થ એવો પણ થઇ શકે કે મૃત્યુને સમજવાના સંનિ પ્રયાસો સાવિત્રીએ કરેલા. ગીતાકારે ભલે એમ કહ્યું હોય કે વાસાંસિ જિર્ણાનિ યથા વિહાય... મૃત્યુ એટલે શું એ શબ્દોમાં સમજાવી શકાય એમ નથી. આધુનિક વિજ્ઞાાન પણ એ સમજવાનો પ્રયાસ કરે છે કે મૃત્યુ કોને કહેવું? તબીબો બ્રેઇન ડેડ અને કાડયાક એરેસ્ટ જેવા ટેકનિકલ શબ્દો વાપરે છે.
એ મૃત્યુ શબ્દના પર્યાય નથી. અધ્યાત્મવાદીઓ કહેશે કે ખોળિયું ખાલી થયું. આત્મા અમર છે. એ પણ મૃત્યુની વ્યાખ્યા નથી. સાવિત્રીએ હજારો વરસ પહેલાં મૃત્યુને સમજવાનો પ્રયત્ન કર્યો, એ સમજાવવા પુરાણકારે કથા ઘડી નાખી કે સાવિત્રીનો પતિ સત્યવાન કોઇ શાપના કારણે અકાળે મૃ્ત્યુ પામ્યો. યમરાજ એના પ્રાણતત્ત્વને લેવા આવ્યા ત્યારે સાવિત્રીએ એમને પડકાર્યા.
વટવૃક્ષની પૂજા એટલે વૃક્ષની પૂજા. વડના ઝાડની પૂજા. આયુર્વેદમાં જે કેટલાંક વૃક્ષોનો મહિમા છે એમાં વડનો પણ સમાવેશ થાય છે. આપણું વડોદરા એક સમયે વટઉદરા હતું. એ વિસ્તારમાં વડનાં હજારો ઝાડ હતાં. આજે સૌથી વધુ જરૂર વૃક્ષપૂજાની છે. વધતી જતી વસતિને રહેઠાણ પૂરા પાડવા સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો અર્થાત્ ગગનચુંબી ટાવર્સ ઊભાં થઇ રહ્યાં છે. બીજી બાજુ પ્રાણઘાતક પ્રદૂષણ વધી રહ્યું છે. પૂરતો પ્રાણવાયુ મળતો નથી. વૃક્ષોના અભાવે પંખીઓનો કલરવ શમી ગયો છે.
ચકલી કે કાગડા જેવાં પંખીઓ દેખાતાં ઓછાં થયાં છે. કેટલાંય પક્ષી હવે માત્ર પ્રાથમિક શાળાના પાઠયપુસ્તકોમાં ચિત્રરૂપે રહ્યાં છે. વૃક્ષોના અભાવે વિનાશકારી પૂર આવે છે. વૃક્ષ નિકંદનને કારણે ઔષધીય વનસ્પતિનો પણ લોપ થતો જાય છે. આજે મહિલાઓ વૃક્ષપૂજન કરશે. વૃક્ષો જીવશે તો માણસ જીવશે. વૃક્ષો જીવશે તો પીવાલાયક પાણીની તંગી ભોગવવી નહીં પડે. આટલું સમજાય તો વટસાવિત્રી પૂનમનો મહિમા સમજાઇ જાય.