mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દેશમાં વધતો ધૂમાડો .

Updated: Mar 25th, 2024

દેશમાં વધતો ધૂમાડો                                     . 1 - image


ભારત પોતાને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ગર્વ કરે છે પરંતુ વિશ્વના સૌથી પ્રદૂષિત દેશમાંથી એક તરીકે તેની પ્રતિષ્ઠા તેના પર ભારે પડી રહી છે. વૈશ્વિક હવાની ગુણવત્તા પર સ્વિસ સંસ્થા IQAir  દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ર્ટ અનુસાર, ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ છે. આ રેન્કિંગ હવામાં ૨.૫ માઇક્રોન અથવા તેનાથી ઓછા કણોની ઘનતા (પીએમ ૨.૫) પર આધારિત છે. આ ફેફસાં અને હૃદયના રોગો તેમજ કેન્સર અને અકાળ મૃત્યુ સાથે જોડાયેલું પરિબળ છે. ઈ. સ.૨૦૨૩ માં ભારતની વાર્ષિક પીએમ ઘનતા જે બાંગ્લાદેશના ૭૯.૯ મિલિગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનની ૭૩.૭ મિલિગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં ઓછી છે. ભારતના રેન્કિંગ વિશે આશ્ચર્યજનક વાત એ છે કે તે ઈ. સ. ૨૦૨૨માં આઠમા સ્થાને હતું ત્યાંથી ૨૦૨૩માં ત્રીજા સ્થાને આવી ગયું છે. ધૂમાડો વધતો જ જાય છે. ભારતને પ્રદુષિત દેશ તરીકે સૌથી પહેલા સ્થાનમાં આવતા પણ બહુ વાર નહીં લાગે. એનું કારણ એ છે કે સામાન્ય નાગરિકનું હજુ એ તરફ ધ્યાન નથી. જે જે મહાનગરોમાં લોકો શ્વાસ અને ફેફસાના દરદીઓ બનવા લાગ્યા છે તેમને તેમના ડોક્ટરોએ કહી દીધું છે કે આ નગરમાં વસવાટ તમારા માટે યોગ્ય નથી, કારણ કે અહીં હવે જીવનધારા ઝાંખી થવા લાગી છે. પરંતુ ડોક્ટરોના કહેવાથી કોઈ નાગરિક શહેર છોડી દે એવું બનતું નથી સમય અને સંયોગોમાં ફસાઈ ગયેલા નગરજનો ક્યાંય જઈ શકતા નથી. એનું સૌથી મોટું ઉદાહરણ પાટનગર નવી દિલ્હી છે. બીજે જવાની વાત તો ઠીક છે, અધિકારીઓ પોતાની બદલી માટેની દરખાસ્ત પણ કરતા નથી, કારણ કે તેઓ એક ને એક ઘરેડમાં ટેવાઈ ગયા હોય છે. ભારતમાં રાજનેતાઓના અગ્રતાક્રમોમાં ક્યાંય હવાનું પ્રદૂષણ આવતું નથી કારણ કે એ લોકોને ખ્યાલ જ નથી કે આપણા દેશમાં ગરીબી અને બેકારી કે મોંઘવારી જેવો જ અસ્તિત્વનો સૌથી મોટો સંઘર્ષ હવાના પ્રદૂષણને કારણે ઉભો થઈ રહ્યો છે. એ પણ નોંધનીય છે કે અન્ય બે દેશોથી વિપરીત, ભારતની પીએમ ઘનતા ૨૦૨૧થી ઘટી છે. તે સમયે તે સ્તર ૫૮.૧ મિલિગ્રામ પ્રતિ ઘન મીટર હતું. આમ હોવા છતાં, વિશ્વના ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૪૨ ભારતમાં છે. નવી દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે ઉભરી આવ્યું છે અને ઈ. સ. ૨૦૨૨ થી તેનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે. આ આંકડો એવા લોકો માટે બિલકુલ ચોંકાવનારો નથી કે જેઓ શહેરી ભારતમાં રહે છે અને શ્વાસ લેવામાં તકલીફને કારણે દરરોજ ડાક્ટરોની મુલાકાત લેવી પડે છે અથવા જેઓ સતત શહેરોના પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી ટેવાઈ ગયા છે અને એના વિકલ્પો પર વિચાર કરવાની ક્ષમતા જ ગુમાવી દીધી છે, એવા લોકો માટે ખરેખર આ સ્થિતિ નવી નથી. IQAirlt  અહેવાલ મુજબ, ૧.૩૬ અબજ ભારતીયો, અથવા કુલ વસ્તી કરતાં સહેજ ઓછા, એવા વાતાવરણમાં રહે છે જ્યાં પીએમ સાંદ્રતા વિશ્વ આરોગ્ય સંસ્થાની ૫ મિલિગ્રામ પ્રતિ ઘન મીટરની માર્ગદર્શિકા કરતાં ઓછી છે. આ યાદીમાં બિહારનું બેગુસરાય ટોપ પર છે.

ઈ. સ. ૨૦૨૨માં, આ શહેરનો આ સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો પરંતુ વાર્ષિક સરેરાશ વાંધાજનક ઘનતા ૧૧૮ પ્રતિ ઘન મીટર કરતાં વધુ હોવાનો અંદાજ છે. ગુવાહાટીમાં તે પ્રદૂષણ ઈ. સ. ૨૦૨૨ના સ્તરથી બમણું થઈ ગયું છે. અશ્મિભૂત ઇંધણને બાળવું એ પ્રદૂષણનો એક મુખ્ય સ્રોત હોવાથી, દેશમાં નબળી હવાની ગુણવત્તા એ પણ દર્શાવે છે કે નવીનીકરણીય ઉર્જા અપનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા નથી. આ સ્થિતિ ભવિષ્યમાં આર્થિક વિકાસની ગતિને લગતી સમસ્યા પણ સૂચવે છે. થર્મલ પાવર પ્લાન્ટ હજુ પણ દેશના કુલ વીજળી ઉત્પાદનમાં ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરમાં જાહેર કરાયેલ રૂફટોપ સોલાર પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ પરિસ્થિતિમાં મોટો ફેરફાર લાવવાની ક્ષમતા છે, પરંતુ આ માટે પાવર સંબંધિત નીતિઓમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે. આ સાથે વાયુ પ્રદૂષણના સંદર્ભમાં દિલ્હીનું ટોચનું સ્થાન દર્શાવે છે કે આપણે પાકના અવશેષોને બાળવા અંગે કોઈ નક્કર નીતિગત ઉકેલ શોધી શક્યા નથી.

IQAir તાજેતરનો અહેવાલ દેશમાં પ્રદૂષણની સમસ્યા કેટલી ઊંડી છે અને ઈ. સ. ૨૦૭૦ સુધીમાં ચોખ્ખા શૂન્ય ઉર્ત્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ટકાઉ ઉકેલો શોધવાનું કેટલું મહત્વપૂર્ણ છે તે રેખાંકિત કરે છે. આ કટોકટી વિશે એક નોંધપાત્ર બાબત એ છે કે તે તાજેતરના વર્ષોમાં નીતિ નિર્માતાઓની નજરથી બહાર દેખાય છે. સૌથી અસામાન્ય બાબત એ છે કે પ્રદૂષણ રાજકીય મુદ્દા તરીકે ગેરહાજર છે. કોઈપણ રાજકીય પક્ષ પ્રદૂષણ ઘટાડવાને તેના એજન્ડામાં રાખતો નથી, અને ન તો સ્વચ્છતાના અધિકારનો વિચાર કોઈપણ મોટા રાજકીય પક્ષના ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. અર્થતંત્રને આની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, પ્રદૂષણથી સંબંધિત અકાળ મૃત્યુને કારણે ઈ. સ. ૨૦૧૯ માં ૩૭ બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. તે સ્પષ્ટ છે કે આ વિષય પર તાત્કાલિક નીતિગત પગલાં લેવાની જરૂર છે.


Gujarat