Get The App

મોસમ (નહીં) હૈ આશિકાના .

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
મોસમ (નહીં) હૈ આશિકાના                                        . 1 - image


આપણા હવામાન ખાતાના અહેવાલો બહુ જ ઉપરછલ્લા હોય છે. એક તો હવામાન નિષ્ણાતોની દેશમાં કટોકટી છે અને સરકાર પાસે જે છે એ લોકો પણ એમ જ માને છે કે પ્રજા પોતાની રીતે આત્મજ્ઞાનથી જાણી લેશે કે વાતાવરણ કેવું છે, આપણે જણાવવાની જરૂર નથી. હકીકતમાં આપણે એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ કે જે દેશ પાસે ઉત્તમ કોટિના હવામાનશાીઓ ન હોય એમની પ્રજા રાતોરાત બહુ મોટા સંકટમાં ઘેરાઈ જવાની ભીતિ રહે છે. આજકાલ પ્રકૃતિનો રંગ જે બદલાયેલો છે અને સતત તુ પરિવર્તનના યોગ છે એમાં મનુષ્યનું આરોગ્ય ગોથાં ખાઈ રહ્યું છે. આપણું શરીર આકસ્મિક તુ પરિવર્તનથી ટેવાયેલું નથી. કોરોના સહિતના વાયરસને મિશ્ર હવામાન ટેકો કરે છે. સ્વાભાવિક છે કે આને કારણે ઉંમરલાયક લોકોમાં મૃત્યુનો દર ઉંચો જવાનો છે. મોસમના આ પરિવર્તનો બહુ સરળતાથી સમજી શકાય એવા નથી બહુ. લાંબા સમયથી થતી આવેલી પ્રકૃતિની ઉપેક્ષાનાં ગંભીર પરિણામોનો આ આરંભ છે.

પ્રકૃતિના ચક્ર મુજબ ગરમી, ઠંડી કે વરસાદનું આવવું એ કુદરતી પ્રક્રિયા છે અને તે સમગ્ર પૃથ્વી માટે જીવનનો સ્રોત છે, પરંતુ જ્યારે આ જ હવામાન પૃથ્વી પરના જીવન અને સંપત્તિ માટે જોખમી સાબિત થવા લાગે છે, ત્યારે તે ગંભીર ચિંતાનો વિષય બની જાય છે. આમ, છેલ્લા કેટલાક દાયકાઓથી વધતા જતા તાપમાન અને આબોહવામાં અસંતુલન અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત પરિષદોમાં વિસ્તૃત ચર્ચા થાય છે અને તેના ઉકેલ માટે જરૂરી પગલાં ભરવાની વાતો થાય છે. પરંતુ દર આવતા વર્ષે હવામાનની પેટર્ન બગડતી જાય છે. જે તુઓ જીવન આપતી હતી તે હવે શા માટે વ્યાપક વિનાશ અને લોકોના મૃત્યુનં  કારણ બની રહી છે? નોંધનીય છે કે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા 'સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ ૨૦૨૫' રિપોર્ટ અનુસાર, ગત વર્ષે અત્યંત ખરાબ હવામાનને કારણે ૩,૨૮૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત એક લાખ ચોવીસ હજાર પશુઓ મૃત્યુ પામ્યાં હતાં અને બાવીસ લાખ હેક્ટરથી વધુના પાકને નુકસાન થયું હતું.

હિમાચલ પ્રદેશ પ્રતિકૂળ હવામાનનો સૌથી મોટો ભોગ બન્યો હતો, જ્યાં સંકટ એક વર્ષમાં લગભગ ૧૫૦ દિવસ સુધી ચાલ્યું હતું. આ પછી મધ્યપ્રદેશમાં ૧૪૧ દિવસ અને કેરળ અને ઉત્તર પ્રદેશમાં ૧૧૯ દિવસ સુધી લોકોને હવામાનનો સામનો કરવો પડયો હતો. સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય ઉથલપાથલના કારણો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેને સમાંતર, તાજેતરના વર્ષોમાં, ભારે ગરમી, તીવ્ર ઠંડી અથવા અનિયંત્રિત વરસાદ, વ્યાપક ભૂસ્ખલન વગેરેને કારણે જાનમાલનું નુકસાન વધવા લાગ્યુ છે. આબોહવામાં આવા ફેરફારોનાં કારણો શું છે અને તેને કેટલી હદે નિયંત્રિત કરી શકાય છે? એ પણ વિચિત્ર છે કે ટેકનોલોજી અને સંસાધનોના વિસ્તરણના યુગમાં પણ લોકો પોતાનો જીવ બચાવી શકતા નથી. આજે વરસાદની મોસમમાં વીજળી પડવાથી થતા મોતનો આંકડો આશ્ચર્યજનક છે.

ગયા વરસે ગ્રીષ્મનો પ્રકોપ બહુ હતો. ગરમી માટે હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો હતો અને તાપમાનનું સ્તર ખતરાના નિશાનને વારંવાર પાર કરી જતું હતું હોય તેવું લાગતું હતું. સમગ્ર ઉત્તર ભારત ત્યારે ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં હતું. દિલ્હી અને હરિયાણાની સ્થિતિ એવી હતી કે ત્યાં ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. માત્ર એક અઠવાડિયા પહેલા સુધી, હવામાન એવું હતું કે સામાન્ય લોકોથી લઈને હવામાનશાીઓ સુધી દરેકને આ સમયગાળા દરમિયાન તાપમાનમાં અસામાન્ય સ્થિતિ જોઈને આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાં હવામાને નાટયાત્મક વળાંક લીધો છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી જ તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેતા હતા, જ્યારે મે મહિનાના બીજા સપ્તાહ સુધી તાપમાનની સમતા ગત વરસે ચોંકાવનારી હતી. 

દેશના ઉત્તરીય વિસ્તારો ઉપરાંત, પૂર્વીય મેદાનો, મધ્ય ભારતના વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશો, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત વરસે તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હતું અને રાજસ્થાનમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. વર્તમાન પરિસ્થિતિથી વિપરીત ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય તાપમાન કરતાં વધુ રહેવાની આગાહી કરી હતી. ગયા વરસે આ જ દિવસોમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમીના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને તેની ગરમી બિહારને પણ સળગાવી રહી હતી, પરંતુ એના બદલે આ વરસે બરફ વર્ષાને કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

હવામાન નિષ્ણાતો જે બે અઠવાડિયા પહેલા સામાન્ય તાપમાનથી નીચા તાપમાને આશ્ચર્યચકિત થયા હતા, તેઓ હવે કહે છે કે આગામી કેટલાક દિવસો સુધી એટલે કે બરફ વર્ષાનો આ રાઉન્ડ પૂરો થાય પછી ગરમી જોખમી સ્તરે સળગતી રહેશે. 

Tags :