Get The App

આત્મઘાતનું પાટનગર કોટા .

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
આત્મઘાતનું પાટનગર કોટા                             . 1 - image


દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. આ સર્વે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. ધ્યાનમાં રાખો, આ સમયગાળા દરમિયાન ૧૯ વિદ્યાર્થીઓના આત્મહત્યાના અહેવાલ હતા. જો આને ઉમેરવામાં આવે તો આ વર્ષે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫ થઈ જાય છે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની વધતી સંખ્યાને જોતા, જિલ્લા વહીવટીતંત્રે ૨૦૧૫થી તેમનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી આજ સુધીમાં કોઈ પણ એક વર્ષમાં આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા હોય તો તે આ વરસે છે.

સર્વેક્ષણ દરમિયાન આવા ૮૩ વિદ્યાર્થીઓ મળી આવ્યા જે ગંભીર ડિપ્રેશનનો શિકાર હતા. બે વિદ્યાર્થીઓ આત્મહત્યાના આરે મળી આવ્યા હતા. આ તમામને તાત્કાલિક કાઉન્સેલિંગ આપવામાં આવ્યું, એટલું જ નહીં, પરંતુ કોચિંગ સેન્ટર અને વાલીઓને જાણ કર્યા બાદ તેમને રાહત આપવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા. આમ, એવું માની શકાય કે સંભવિત આત્મહત્યાના આ કિસ્સાઓ સમયસર અટકી ગયા હતા અને જીવનના અણખૂટ ઉલ્લાસ તરફ તેઓ પાછા ફર્યા હતા. પરંતુ આ પ્રયાસો પૂરતા નથી. 

સર્વે રિપોર્ટ પણ સૂચવે છે તેમ, સમસ્યાનું મૂળ બીજે છે. જ્યારે વિદ્યાર્થીઓ કોટા આવે છે, ત્યારે તેઓ પ્રથમ એક કે બે મહિના શહેરની આસપાસ ફરે છે અને મજા કરે છે. જ્યારે કોચિંગ એજ્યુકેશનનો સંપૂર્ણ અંત આવે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. રોજબરોજના અભ્યાસ સાથે તાલ મિલાવી ન શકવાની અને સ્પર્ધામાં પાછળ રહી જવાની લાગણી ઘર અને પરિવારથી દૂર એકલા રહેતા આ વિદ્યાર્થીઓ માટે ભારે સાબિત થાય છે. કોટામાં સમસ્યા ચોક્કસપણે તેના સૌથી ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ તેનું સ્વરૂપ રાષ્ટ્રીય છે. છેવટે, જો દરેક ૨૦ લાખ વિદ્યાર્થીઓ ૧.૨૫ લાખ બેઠકો માટે સ્પર્ધા કરે, જેમ કે શઈઈ્માં જોવા મળે છે, તો સ્પર્ધાના ઉગ્ર સ્વરૂપનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે.  છેવટે, એવું કેમ છે કે આજે પણ દેશના મધ્યમ વર્ગના પરિવારો મેડિકલ કે આઈઆઈટી મેળવ્યા પછી જ તેમના બાળકોની કારકિર્દી સફળ બનતા જુએ છે?

કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાના વધતા જતા મામલા બાદ કોચિંગ સેન્ટરો પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડયું છે. ઝારખંડની ૧૬ વર્ષની રિચા (નામ બદલ્યું છે)એ ૧૩ સપ્ટેમ્બરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. રિચાના મૃત્યુ પછી, ઝારખંડ પ્રાઈવેટ સ્કૂલ્સ એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર એસોસિએશન (ઁછજીઉછ-પાસવા) એ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે કોચિંગ સંસ્થાઓને જવાબદાર ગણાવી છે. પાસવાએ હવે કોચિંગ સંસ્થાઓ અને ખાનગી શાળાઓની મનમાની સામે અવાજ ઉઠાવ્યો છે.

પાસવા કહે છે કે કોચિંગ સંસ્થાઓ શિક્ષણ પ્રણાલીને ઉધઈની જેમ ચાટી રહી છે. નિર્દોષ માતા-પિતા અને બાળકોને ડોક્ટર અને એન્જિનીયર બનવાના સપનાં બતાવીને લૂંટી રહ્યા છે, બાળકો પોતાનું બધું જ લૂંટાતા જોઈ રહ્યા છે, અભ્યાસનો ભાર તેમને મજબૂર કરી રહ્યો છે. કોટાના રાધાકૃષ્ણ મંદિરની દિવાલ પર લખેલી અનેક પ્રાર્થનાઓ છે, જેમાં વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હાયર સ્કોર સાથે અમને ડોક્ટર બનાવો. આ મંદિરની દીવાલો પર આવાં કેટલાં બધાં વ્રતો, સંકલ્પો અને વિનવણી કોતરેલાં છે. એક વિદ્યાર્થિનીએ લખ્યું છે કે પ્લીઝ ભગવાન મારા પપ્પાને હેપ્પી રાખવા માટે મને ડાક્ટર બનાવો... - ડો. સ્વાતિ... આ એક વાક્યમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીના મનોવિજ્ઞાાનને સમજવાનો પ્રયત્ન કરશો તો એક દર્દનાક ચિત્ર ઉભરી આવશે.

પોતે ડોક્ટર નથી તો પણ એણે પોતાના નામ આગળ ડોક્ટર લખ્યું છે. તેને ડર છે કે તેના પિતાનું સ્વપ્ન કદાચ પૂરું ન થાય. તે પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે. કલ્પના કરો કે આ સંતાનો કેટલા માનસિક દબાણ હેઠળ હશે. નિષ્ફળતાનો ડર, પસંદગી ન થવાનો ડર, માતા-પિતાની નજરમાં નિષ્ફળ જવાનો ડર, દુનિયાની અપેક્ષાઓ પ્રમાણે ન જીવવાનો ડર. આ ડર અને દબાણે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં જુદા જુદા ૨૫ સંતાનોના જીવ લીધા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર ૨૦૨૩-૨૪માં દેશભરમાં ૧૩,૦૮૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.

Tags :