ભયજનક જાહેર બાંધકામ .
ટેક્નોલોજીના ઉપયોગથી ઈમારતો, પુલ, રસ્તાઓ વગેરેના નિર્માણમાં ઝડપ આવી છે અને સંરચના સુંદર બનવા લાગી છે, પરંતુ તેની મજબૂતાઈ અને ટકાઉપણા અંગે અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. હવે લોકો પુલ પરથી પસાર થતી વખતે મનોવૈજ્ઞાનિક રીતે ગભરાય છે અને જો વૈકલ્પિક રસ્તો હોય તો એને પસંદ કરે છે. હવે વરસાદની મોસમમાં પુલ, રસ્તાઓ અને નવી બનેલી ઇમારતો ડૂબી જવાના અને તૂટી પડવાના સમાચાર વિના ભાગ્યે જ કોઈ વર્ષ પસાર થાય છે. તાજેતરની ઘટના દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ-એક પર બની હતી, જ્યાં ગાડીઓના પાર્કિંગ વિસ્તારની છત તૂટી પડી હતી, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું, એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. વરસાદના કારણે છત બેસી ગઈ છે. આ સિઝનનો આ પહેલો વરસાદ હતો, આખી સિઝન હજુ બાકી છે, તેથી એરપોર્ટની અન્ય છતને લઈને પણ લોકોમાં આશંકા હોય તે સ્વાભાવિક છે.
વાસ્તવમાં, એરપોર્ટની છત લોખંડના થાંભલા ઊભા કરીને સિન્થેટિક અને પાતળી લોખંડની ચાદરથી બનેલી છે. આ રીતે, જગ્યા એકદમ ખુલ્લી અને સુંદર પણ લાગે છે, પરંતુ તેની ક્ષમતા વિશે કોઈ દાવો કરવો મુશ્કેલ છે. આ પહેલી ઈમારત નથી કે જેમાં આ બાંધકામ કળાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ અનેક જાહેર સ્થળોએ ઝડપથી કામ પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, મકાન બાંધકામમાં કાચ, લોખંડ, સિન્થેટિક શીટ્સ વગેરેનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આ રીતે ઈમારતોનું નિર્માણ ઝડપથી થાય છે, પરંતુ ન તો તે ભારતીય પ્રકૃતિ સાથે સુસંગત છે કે ન તો તેને ચિરકાલીન ગણી શકાય. લોખંડના થાંભલાઓને નટ અને બોલ્ટ સાથે જોડીને બનાવેલા માળખાને સમયાંતરે સમારકામની જરૂર પડે છે, જેનો વારંવાર અભાવ જોવા મળે છે. ઘણી ઇમારતો, રસ્તાઓ અને પુલ સરકારી દબાણ હેઠળ ઉતાવળમાં બનાવવામાં આવે છે, જેના કારણે ઇમારતો જોખમી સાબિત થાય છે.
દિલ્હી એરપોર્ટ પર બનેલી ઘટનાના થોડા કલાકો પહેલા જ મધ્યપ્રદેશના જબલપુરમાં એર ટમનલની નવી ઇમારતની છતનો એક ભાગ વરસાદને કારણે એક ગાડી પર પડી ગયો હતો. બિહારમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક પુલ ધરાશાયી થયા હતા. છેલ્લા ઘણા સમયથી મધ્યપ્રદેશ, બિહારમાં પૂરમાં પુલો ધોવાઈ જવાના, રસ્તાઓ ડૂબી જવાના કે ધસી પડવાના અહેવાલો છે. અતિવૃષ્ટિને કારણે દિલ્હીમાં જે સ્થિતિ સર્જાઈ છે તે જ સ્થિતિ દેશના અને વિશ્વના અન્ય શહેરોમાં પણ સર્જાઈ રહી છે. દુબઈ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ અદ્યતન શહેર છે, છતાં થોડા સમય પહેલા સામાન્ય કરતાં વધુ વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણા દેશમાં વધુ પડતા વરસાદને કારણે સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા શહેરો પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તનને કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો એ હવેની વાસ્તવિકતા છે.
આરોગ્ય, શિક્ષણ, આંતરિક સુરક્ષા... બધે જ નજર દોડાવો તો વારંવાર રોકાઈ-રોકાઈને નજર થાકી જાય એવા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પડાવો છે. બળાત્કારનું જાણે કે સમર્થન કરતા હોય એમ પોલીસ સ્ટેશનમાં પીડિતાને દુષ્ટ બુદ્ધિથી પ્રશ્નો પૂછતા ને ઊંચા પદે પહોંચી ગયેલા જમાદારો કાશ્મીરથી કન્યાકુમારી (વાયા અમદાવાદ) વારંવાર લોકનજરે ચડે છે અને પ્રજા ખિન્ન થઈ જાય છે. તેઓ પ્રજા અને પોલીસ વચ્ચેનો પુલ તોડી રહ્યા છે. શાળા સંચાલકો ખાનગી શૈક્ષણિક પ્રણાલિકાઓને ઔદ્યોગિક એકમની જેમ ચલાવે છે. તેમને પણ નફો કરવાનો અધિકાર ચોક્કસ છે અને એ બંધારણીય છે. પરંતુ આ કામ તેઓ ગેરબંધારણીય ફી માળખું ઊભુ કરીને જે સ્વાર્થ સિદ્ધ કરી રહ્યા છે તેની સામે પણ અજંપો વ્યાપક છે. ઓગણીસમી સદીના આરંભે જાપાનના ટોકિયોમાં ઈટાઈબાશી પુલ તૂટયો હતો જેમાં પંદરસો નાગરિકોએ જિંદગી ગુમાવી હતી. પરંતુ એ દુર્ઘટનાને જાપાન પછીથી થયેલા પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ ભૂલ્યું ન હતું અને આજે પણ જાપાન સરકાર દરેક પુલમાં બ્રિજ સેન્સર લગાવે છે જે એની ક્ષમતાની મર્યાદા પ્રમાણે તૂટતા પહેલા સાવધાની માટે મોટા અવાજે એલાર્મ વગાડે છે. પરંતુ આવો એલાર્મ વાગે એ સ્થિતિ આવે જ નહિ એની સાવધાની દરેક પુલમાં રાખવામાં આવે છે.