Gujarat

દસ દિવસથી પાણી નહીં મળતા મહિલાઓનો પાલિકામાં હોબાળો

By GS Team
5 Feb 20221 min read
This article was originally published on 5 Feb 2022
દસ દિવસથી પાણી નહીં મળતા મહિલાઓનો પાલિકામાં હોબાળો

- સુરેન્દ્રનગરના વોર્ડ નંબર- 5માં  

- મેઇન લાઇન તૂટી જતાં પાણી વિસ્તાર ઠપ્પ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનાં વોર્ડ-૫માં આવેલા માનવ મંદિર આજુબાજુના વિસ્તારમાં દસ દિવસથી પાણી ન મળતા  મહિલાઓએ નગરપાલીકા કચેરીએ ઘસી જઈને રજૂઆત સાથે હંગામો મચાવ્યો હતો અને ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી. 

સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં શિયાળા દરમિયાન જ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. વોર્ડ-૫માં આવેલી માનવ મંદિર પાસેના વિસ્તારમાં રહેતા પાંચસોથી પરિવારોને દસ દિવસ થી પાણી નહીં મળતા હેરાન-પરેશાન થતી મહીલાઓ રજુઆત કરવા નગરપાલીકા કચેરીએ ઘસી આવી હતી. જયાં મહિલાઓને ચીફ ઓફિસરની ચેમ્બરમાં જવા ન દેેતા રોષની લાગણી ફેલાઈ હતી.

મહીલાઓએ  જણાવેલ હતું કે, માનવ મંદિર વિસ્તારમાં પાણીની મેઈન લાઈનો વારંવાર તુટી જતા પાણી વિતરણ ઠપ્પ થઈ જાય છે. ટેન્કરના રૂા.૩૫૦થી૪૯૦ ખર્ચવા છતાં લોકોને સમયસર પાણી મળતું નથી.આ બાબતે વહેલીતકે યોગ્ય કાર્યવાહી ન થાય..અને માનવમંદિર વિસ્તારમાં નિયમીત પાણી વિતરણની વ્યવસ્થા ન ગોઠવાય તો મહિલાઓએ આંદોલન શરૂ કરવાની ચીમકી આપેલ હોવાનું જાણવા મળે છે.