સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટનું કામ મંથરગતિએ પાંચ વર્ષે માત્ર બે જ કિલોમીટર બન્યો
- રાજકીય આગેવાનોની ટાંટીયા ખેંચથી કામ ખોરંભે ચડયાનો આક્ષેપ
સુરેન્દ્રનગર, વઢવાણ તા.3 મે 2019, શુક્રવાર
ઝાવાલાડનાં જીલ્લા મથક સુરેન્દ્રનગર વઢવાણ,રતનપર જોરાવરનગરને જોડતી ભોગાવો નદી પર આશરે ૧૦ કિલોમીટર રિવરફ્રંટ બનાવવાનું આયોજન ૨૦૧૪માં કરવામાં આવ્યુ હતુ .પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ૫ વર્ષ પછી પણ હાલ માત્ર બે કિલોમીટર આર્ટસ કોલેજ થી ટાંકી ચોક સુધી થઈ શકયુ છે.બીજી તરફ જીલ્લા પંચાયતથી મોચી બજાર સુધી કામગીરી ચાલી રહી છે.જયારે વઢવાણ ગેબનશાહ પીર થી એસટી બસ સ્ટેન્ડ સુધી માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવી રહયા છે.ત્યારે શહેરની સમસ્યાઓના ઉકેલ માટે સિનીયર સીટીઝનો પદયાત્રાનું આયોજન કરી રહયા છે.
સુરેન્દ્રનગર વઢવાણનાં રાજમાર્ગ ગણાતા રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધ્યુ છે.જેમા સુરેન્દ્રનગર એસટી ડેપો, મિલન રોડ,આંબેડકર ચોક , હેન્ડલુમ ચોક,ટાંકી ચોક અને ટાવર સુધી પસાર થવુ વાહન ચાલકો અને મુસાફરો માટે અભિમન્યુનાં આઠ કોઠા વિધંવા સમાન જેવો કપરો ઘાટ સર્જાયો છે.શહેરમાં દરરોજ ટ્રાફિકજામ થતા હજારો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.
ત્યારે ૧૦ કિ.મી નો રિવરફ્રંટનું આયોજન આજે પાચ વર્ષે પણ ફકત બે કિલોમીટર બની શકેલ છે અને જીલ્લા પંચાયતથી મોચી બજાર સુધીની કામગીરી ચાલુ છે શહેરમાં ભોગાવા નદી પર અંડરબ્રિજ, કોઝવે, રિવરફ્રંટ સાથેે શહેરની અનેક સમસ્યાઓ અને માંગણીઓ સહિતની કામગીરી કાચબા ગતિએ થતા સિનીયર સિટીઝન અને પ્રબુધ્ધ નાગરીકો જાગૃત પદાયાત્રાનું આયોજન ઝાલાવાડા ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન કિશોરસિહ ઝાલાએ હાથ ધરેલ છે જેનાં અનુસંધાને બેઠકોનો દોર પણ શરૂ થયો છે.
વિકાસનો કાગનો વાઘ કરવામાં પાવરધા બનતા આગેવાનો શહેરમાં મુખ્ય અંડરબ્રિજ , રિવરફ્રંટની કામગીરીમાં પણ પાવરઘા બને તેવી લોકોની માંગ છે તેમજ શહેરની સમસ્યાઓ માટે જાગૃતયાત્રાઓ કાઢવી પડે તે પણ શહેરનાં પ્રતિનિધીત્વ કરનારા માટે શરમજનક વાત કહેવાય તારીખ પે તારીખના વાયદાઓ નહી પરંતુ નકકર કામગીરીમાં ગતિ આવે તે માટે આગેવાનોએ કમરકસવી જોઈએ
ભોગાવો નદી પર કરોડોના ખર્ચે ૧૦ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન ઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા, અંડરબ્રિજ, કોઝવે સહિતના પ્રશ્નોને લઇ નાગરિકો આંદોલન કરવા મજબૂર
વઢવાણ પાલિકા વિસ્તારમાં કાગળનાં ઘોડા દોડાવાયા
સુરેન્દ્રનગર વઢવાણ પાલિકા ભાજપ શાસિત છ ત્યારે રતનપર-જોરાવરનગર,વઢ્વાણ સુરેન્દ્નગરને જોડતી ભોગાવો નદી પર ૧૦ કિ.મી કહેવાતો રિવરફ્રંટ બનવાવનું અયાોજન ૨૦૧૪માં કરવામાં આવેલ પાચ વર્ષે પણ હજુ બે કિંમી કામ થયેલ છે.ગેબનશાહ પીર થી એસટી ડેપો સુધીનું કામ વઢવાણ પાલિકાને સોપાયુ હતુ,નવા વર્ષમાં પાલિકાએ સામાન્ય સભામાં ઠરાવ કરી સતાપક્ષનાં સભ્યોએ મંજુરીની મહોર મારેલ હતી પરંતુ આ વાતનાં ઘોડા કાગળ પર જ દોડી રહ્યા છે.
રિવરફ્રંટના કામ કાચબા ગતિ પાછળ જુથવાદ ની ચર્ચા
શહેરની સમસ્યાઓ અને માગણીઓને લઈને આટલા વર્ષે પણ શહેરીજનો ઠેરના ઠેર હોય અને નાગરીકોને જાગૃત પદયાત્રા કરવાની નોબત આવતી હોય, કાચબાગતિ પાછળ જુથવાદ જવાબદાર હોવાની લોકોમાં ચર્ચા ચાલતી હોય,ત્યારે ઝાલાવાડ વાસીઓ સાબરમતિ નદીના નીર ની વચ્ચે પસાર થતા રિવરફ્રંટ ની નાની આવૃતિ સમાન ભોગાવા નદીમાં પાણી વચ્ચે ૧૦ કિ.મી નો રિવરફ્રન્ટ કયારે પૂર્ણ થશે ? તે સવાલ છે. હાલ ખુલ્લો મુકાયેલ બે કિમી નો રસ્તો પાણી વિહોણા ભોગાવાની ગંદકીની દર્ગધ સાથે ગતિમાન જોઈ ને આશ્ચર્ય સર્જે છે.