Get The App

દાણાવાડા, ખાટડી અને રામપરડામાં પાણી ચોરી કરનાર નવ સામે ગુનો

Updated: May 11th, 2022

GS TEAM

Google News
Google News
દાણાવાડા, ખાટડી અને રામપરડામાં પાણી ચોરી કરનાર નવ સામે ગુનો 1 - image


મુળી તાલુકામાં પાણી ચોરી કરતા લોકો સામે તંત્રની લાલ આંખ

પોલીસ સહિતની ટીમોએ તાલુકામાં ચેકિંગ શરૃ કરાતા પાણી ચોરી કરતા તત્વોમાં ફફડાટ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન તેમજ એરવાલ્વ સાથે ચેડા કરી થતી પાણીની ચોરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે મુળી તાલુકાનાં દાણાવાડા, ખાટડી અને રામપરડા ગામોમાં પાણી ચોરી ઝડપાતા નવ શખ્સો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ઉનાળો ચાલતો હોવાથી લોકોને પાણી માટે વલખા મારવા ન પડે અને સામાજીક જીવન નિર્વાહ ચલાવવામાં લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે હેતુસાથે સરકાર દ્વારા પાણી ચોરી અટકાવવા સુચના આપી છે. મુળી તાલુકામાંથી પસાર થતી પાણીની પાઈપલાઈનનું મુળી એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની ટીમ, ધરતી એન્જી. અમદાવાદની ટીમ તથા મુળી પોલીસની ટીમ દ્વારા સંયુકત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પેટ્રોલીંગ દરમ્યાન દાણાવાડા, ખાટડી, અને રામપરડા ગામની સીમમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈનમાં, એરવાલ્વમાંથી ગેરકાયદે કનેકશનો લઈને પીવાના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી પાણીનો બગાડ કરી પાણી ચોરી કરી સરકારી પાઈપલાઈનને નુકસાન કર્યું હોવાનું ધ્યાને આવતા નવ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

જેમાં દાણાવડા ગામનાં ભીખાલાલ જગજીવન ભાઈ, જીતેન્દ્રભાઈ દલપતભાઈ પારધી, રણછોડભાઈ મશરૃભાઈ, ભાથાભાઈ મોહનભાઈ,ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મયુરભાઈ દ્વારા સંચાલીત ગૌશાળા, રામપરડા ગામના  પ્રતાપભાઈ હાથીભાઈ ભાંભળા, ખાટડી ગામનાં વનરાજસિંહ પ્રતાપસિંહ રાણા, અને જયદેવસિંહ, પ્રવિણસિંહ રાણા સામે આઈ.પી.સી ૪૩૦ તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ-૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags :