Get The App

બાવળા આરટીઓ અધિકારી સમયસર હાજર ના રહેતા અરજદારો પરેશાન

Updated: Dec 25th, 2022

GS TEAM


Google News
Google News
બાવળા  આરટીઓ અધિકારી સમયસર હાજર ના રહેતા અરજદારો પરેશાન 1 - image


- દુર દુરથી આવતા લોકો ધક્કાખાવા મજબુર બન્યા

- લોકોના કામો સરળતાથી થતા નથી, એજન્ટોની ભારે બોલબાલા 

બગોદરા : અમદાવાદ જીલ્લા ના બાવળા આરટીઓ અધિકારી   એચ એ પટેલ પંદર દિવસે એકજ દિવસ  ઓફિસમાં આવતા અનેક અરજદારોના કામ સમયસર ના  થતા હાલાકી પડી રહી છે . અધિકારીની  ઓફિસમાં તાળાં મરેલા જોવા મળે છે .કચેરીમાં ખુલ્લઆમ  લાલીયાવાડી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે .

બીજી બાજુ લોકાના કામ મહામુશ્કેલીથી અને અરજદાર ધક્કે ચઢ્યા બાદ  થઇ રહ્યા હોવાની અરજદારો જણાવી રહ્યા છે. ત્યારે  બાવળાઆરટીઆ માં અધિકારીઓની  ચેમ્બરોમાં બિનઅધિકૃત  લોકો બેસી  ખુલ્લે આમ અરજદારોના પેપરો લઈ કામ કરતા હોવાનું ચર્ચાય છે .અરજદારોના કામ સીધા અધિકારીઓ કરે તેની જગ્યાએ અધિકારીઓના રાખેલા બિનઅધિકૃત લોકો કરી રહ્યા છે. ત્યારે  આવા બિનઅધિકૃત લોકો  શા  માટે રાખવા પડે એવું  પણ લોકો માં સવાલો ઉઠી રહ્યા છે. 

એક બાજુ  કચેરીમાં મોટા મોટા  અક્ષરે  દીવાલો પર બિનઅધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહિ તેવા  લખાણ મોટા ઉપાડે લખવામા તો આવ્યા છે પરંતુ  તેનો અમલ  આ લાખાવનાર અધિકારીઓ જ ધજગરા ઉડાડી રહ્યા છે તેવું અરજદારો માં ચર્ચાય છે ત્યારે  ઉચ્ચ કક્ષા એથી  ચેકિંગ હાથ  ધરી  કાર્યવાહી કરવા માં આવે તે જરૂરી છે અને હાલ ના મુખ્ય અધિકારી સમય સર હાજર રહે તો લોકો માં માંગ ઉઠી છે.

Tags :