સુરેન્દ્રનગરમાં સાજા થયેલા કોરોનાના વધુ 11 દર્દીઓને રજા આપી દેવાઇ
- સુરેન્દ્રનગરના ૧૦ અને સરખેજ, અમદાવાદના એક દર્દીની તબિયતમાં સુધારો જણાતા ઘેર મોકલાયા
સુરેન્દ્રનગર, તા. 18 જુલાઇ 2020, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે અને દરરોજ સરેરાશ ૨૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર બાદ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ૧૧ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે ૪૫૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યાં છે.
ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ૧૧ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર ના સરોજબેન દોશી, વિપુલકુમાર દોશી, સગુણાબેન વોરા, પારૂલબેન શાહ, જીલય શાહ, સુલેમાનભાઈ મામાણી, વિશાલભાઈ આચાર્ય, નિતિનભાઈ શાહ, મુકેશભાઈ શાહ, પંકજભાઈ કોઠારી અને અમદાવાદ જિલ્લાના સરખેજના વતની કિરણભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.