Get The App

સુરેન્દ્રનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે 23 કેસ નોંધાતા ખળભળાટ

- કોરોનાનો આંતક વધતા આરોગ્ય તંત્રની કસોટી

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે 23 કેસ નોંધાતા ખળભળાટ 1 - image


સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, તા.1 જુલાઈ 2020, બુધવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૨૩ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.

શહેરી વિસ્તારોમાં 12 અને ગ્રામ્ય વિસ્તારોમાં 11 કેસ મળ્યા : પોઝિટિવ દર્દીઓનો આંક 169 પર પહોંચી ગયો

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ અગાઉ લોકડાઉન-૧,૨ અને ૩ જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ અનલોક-૧ બાદ અનલોક-૨ ની શરૃઆતમાં શરતોને આધીન દરેક ક્ષેત્રે છુટછાટ આપવામાં આવી છે. ત્યારે આ અનલોક દરમ્યાન સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૨૩ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

જેમાં શહેરી વિસ્તારમાં કુંથુનાથ દેરાસર પદ્માવતી એપાર્ટમેન્ટમાં રહેતાં દિલીપભાઈ એમ.જોષી ઉ.વ.૬૫, જુના જંકશન પાસે રહેતાં ચંદ્રકાન્તભાઈ શુક્લા (નિવૃત્ત પીએસઆઈ) ઉ.વ.૫૮, ટી.બી.હોસ્પીટલ પાસે રધુવિરનગરમાં રહેતાં યુવક સુનીલ ભટ્ટ ઉ.વ.૨૧, રામેશ્વર ટાઉનશીપ રતનપર ખાતે રહેતી મહિલા ગીતાબેન કાંતીલાલ ગાંધી ઉ.વ.૬૯, નારાયણપરા રતનપર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ દાદુભાઈ માલણ ઉ.વ.૪૬, જોરાવરનગર રેલ્વે સ્ટેશન પાસે રહેતાં મહેશભાઈ મનુભાઈ ગઢવી ઉ.વ.૩૯, શહેરના અલંકાર ટોકીઝ પાસે રહેતી ૨૬ વર્ષની મહિલા, જોરાવરનગર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષની મહિલા ઉપરાંત શહેરના દાળમીલ રોડ, જીનતાન રોડ, નિલકંઠ સોસાયટી, અલંકાર સીનેમા રોડ, માધવનગર સોસાયટી વિસ્તાર સહિત કુલ ૧૨ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

આ ઉપરાંત જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે રહેતાં વાલજીભાઈ વશરામભાઈ વાઘેલા ઉ.વ.૬૫, નિલેશભાઈ કાલીદાસ પુજારા ઉ.વ.૩૭, પાટડી તાલુકાના કોચાડા ગામે રહેતાં દિનેશભાઈ માનસંગભાઈ ઠાકોર ઉ.વ.૪૬, ધ્રાંગધ્રા તાલુકાના ગંજેળા ગામે રહેતાં ગૌતમભાઈ વશરામભાઈ પટેલ ઉ.વ.૨૯, ધ્રાંગધ્રા એકતા પાર્ક સોસાયટીમાં રહેતાં સવજીભાઈ રાઘવજીભાઈ ઉ.વ.૭૫, ધ્રાંગધ્રાની મોચી સોસાયટીમાં રહેતાં અનવરભાઈ ભવ્યા ઉ.વ.૫૨, ધ્રાંગધ્રાના મયુરનગર વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિ તથા વઢવાણ તાલુકાના ચમારજ ગામે રહેતાં ૪૫ વર્ષના પુરૃષ અને અન્ય એક વ્યક્તિ, વઢવાણ તાલુકાના અધેળી ગામમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આમ સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૫ વ્યક્તિ કોરોનાનો ભોગ બનતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ પોઝીટીવ આંક ૧૬૧ ઉપર પહોંચ્યો હતો તેમજ આરોગ્ય વિભાગે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ સંપર્કમાં આવેલ દર્દીઓને ક્વોરન્ટાઈન કર્યા હતાં અને આસપાસના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યા હતાં.

Tags :