Get The App

શું T20 વર્લ્ડ કપ 2026માં એક પણ મેચ રમ્યા વગર પાકિસ્તાન બોયકોટ કરી શકે? જાણો ICCના કડક નિયમો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
શું T20 વર્લ્ડ કપ 2026માં એક પણ મેચ રમ્યા વગર પાકિસ્તાન બોયકોટ કરી શકે? જાણો ICCના કડક નિયમો 1 - image


T20 World Cup 2026: પાકિસ્તાન સરકારે આગામી 15મી ફેબ્રુઆરીએ યોજાનારી ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. બાંગ્લાદેશના સમર્થનમાં લેવાયેલો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મુશ્કેલી વધારી શકે છે. જો પાકિસ્તાન આ નિર્ણય પર અડગ રહેશે, તો ICCના નિયમો મુજબ તેને રમતગમતની સાથે આર્થિક રીતે પણ પાયમાલ કરી દે તેવી જોગવાઈઓ છે.

ICCએ બાંગ્લાદેશને હાંકી કાઢ્યું ત્યારથી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આખી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું હતું. જોકે, દેશની સરકારે આખરે ફક્ત એક જ મેચ છોડી દેવાનો નિર્ણય લીધો, ભારત સામેની. પરંતુ શું ICC આ બહિષ્કારને મંજૂરી આપે છે?ત્યારે ICC દ્વારા નક્કી કરાયેલા નિયમો પર એક નજર કરીએ.

આ પણ વાંચો: અભિષેક શર્મા બનશે T20 વર્લ્ડ કપનો અસલી 'કિંગ'? રિકી પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી!

વોકઓવર અને ‘હિડન’ રન રેટ પેનલ્ટી

ICCના ‘પ્લેઈંગ કન્ડિશન્સ’ મુજબ, જો કોઈ ટીમ મેદાન પર ઉતરવાની ના પાડે તો વિરોધી ટીમને સીધો વિજય (Walkover) આપવામાં આવે છે. ભારતને  પોઈન્ટ્સ મેળવવા માટે મેદાન પર હાજર રહેવું પડશે. જો ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ માટે આવે અને પાકિસ્તાની કેપ્ટન ગેરહાજર રહે, તો મેચ ઓફિશિયલી ભારતને ફાળવવામાં આવશે.

કલમ 16.10.7 મુજબ, બહિષ્કાર કરનાર ટીમ (પાકિસ્તાન) 20 ઓવર રમી હોય અને 0 રન કર્યા હોય તેમ માનવામાં આવશે. આનાથી પાકિસ્તાનનો નેટ રન રેટ એટલો ઘટી જશે કે અન્ય મેચો જીતવા છતાં સુપર-8માં પહોંચવું લગભગ અશક્ય બની જશે.

ફાઈનાશિયલ અને કોમર્શિયલ પેનલ્ટી

PCB માટે વાસ્તવિક મુશ્કેલી શરૂ થાય છે. ભારત-પાકિસ્તાન મેચ ફક્ત ટુર્નામેન્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ ઈકોસિસ્ટમ માટે વળતર મેળવે છે. બ્રોડકાસ્ટર્સને જાહેરાત આવકમાં અંદાજે 25 મિલિયન ડોલરથી 30 મિલિયન ડોલર ગુમાવી શકે છે. બ્રોડકાસ્ટર આ પ્રક્રિયામાં ICC પાસેથી માફી માંગશે. ICCને આ કાનૂની દાવાઓ અને નાણાકીય નુકસાન સીધા PCB પર લાદવાનો અધિકાર છે.

PCBના કુલ બજેટનો 70-80% હિસ્સો ICCના ફંડ પર નિર્ભર છે. જો આ ફંડ અટકાવી દેવાય, તો પાકિસ્તાની ક્રિકેટનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.

‘સરકારી હસ્તક્ષેપ’ અને સસ્પેન્શનનો ખતરો

ICC બંધારણની કલમ 2.4 (D) સ્પષ્ટપણે જણાવે છે કે ક્રિકેટ બોર્ડ સરકારી દખલગીરીથી મુક્ત હોવું જોઈએ. માત્ર એક ટીમ સામે ન રમવાનો નિર્ણય ગ્લોબલ ઇવેન્ટની અખંડિતતાનું ઉલ્લંઘન છે. અગાઉ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેને સરકારી હસ્તક્ષેપ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન પર પણ આવું જ જોખમ તોળાઈ રહ્યું છે.