Sports

TNPL League 2025: આર.અશ્વિન પર લાગેલા બોલ ટેમ્પરિંગના તમામ આરોપ ફગાવી દેવાયા, TNPL સીઈઓએ આપ્યું કારણ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
અનુભવી ભારતીય ક્રિકેટર રવીન્દ્ર ચંદ્રન અશ્વિન પર તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) 2025 ના એક મેચમાં બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો. મદુરાઈ પેન્થર્સ ફ્રેન્ચાઇઝીએ આ સંબંધે લીગના અધિકારીઓને લેખિત ફરિયાદ સોંપી હતી. પણ હવે, પાછળથી ડિંડીગુલ ડ્રેગન્સ અને તેમના કેપ્ટન આર. અશ્વિનને TNPL દ્વારા બોલ ટેમ્પરિંગના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

TNPL League 2025: આર.અશ્વિન પર લાગેલા બોલ ટેમ્પરિંગના તમામ આરોપ ફગાવી દેવાયા, TNPL સીઈઓએ આપ્યું કારણ

R Ashwin Faces Explosive 'Ball Tampering' Allegations: અનુભવી ભારતીય ક્રિકેટર રવીન્દ્ર ચંદ્રન અશ્વિન પર તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) 2025 ના એક મેચમાં બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો.  મદુરાઈ પેન્થર્સ ફ્રેન્ચાઇઝીએ આ સંબંધે લીગના અધિકારીઓને લેખિત ફરિયાદ સોંપી હતી. પણ હવે, પાછળથી ડિંડીગુલ ડ્રેગન્સ અને તેમના કેપ્ટન આર. અશ્વિનને TNPL દ્વારા બોલ ટેમ્પરિંગના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા.

જાણો શું હતો મામલો ?

14 જૂન, 2025ના રોજ, સેલમના SCF ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડિંડીગુલ ડ્રેગન્સ અને મદુરાઈ પેન્થર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન, મદુરાઈ ટીમે આરોપ લગાવ્યો હતો કે અશ્વિન અને તેની ટીમે કેમિકલ લગાવેલા ટુવાલનો ઉપયોગ કરીને બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. મદુરાઈ પેન્થર્સે એમ પણ જણાવ્યું હતું કે તેમના તરફથી ઘણી વખત ચેતવણી આપવા છતાં બોલ સાથે ચેડાં ચાલુ રહ્યાં હતાં.

TNPL નો જવાબ  

TNPLના સીઈઓ પ્રસન્ના કન્નને જણાવ્યું કે અશ્વિન સામે લાગેલા આરોપોના સમર્થનમાં નક્કર પુરાવા મળશે, તો એક સ્વતંત્ર તપાસ સમિતિ બનાવવામાં આવશે. જો આરોપ ખોટા સાબિત થશે, તો મદુરાઈ પેન્થર્સ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. અને જ્યારે તપાસ કરી ત્યારે આ મેચમાં બોલ ટેમ્પરિંગનો કોઈ પુરાવો મળ્યો નથી. એવું સમજાય છે કે આ ટુવાલ રાજ્ય ક્રિકેટ એસોસિએશને બોલ ભીનો થઈ જાય ત્યારે તેને લૂછવા માટે પૂરા પાડ્યા હતા. બોલને સૂકવવાનું કામ ફિલ્ડ અમ્પાયરોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. TNPLએ આવી સ્થિતિમાં મદુરાઈ પેન્થર્સને તેમના આરોપોને 'પુષ્ટિ' કરવા માટે ઝડપથી પુરાવા રજૂ કરવા કહ્યું છે.

રિપોર્ટ મુજબ TNPL આ મુદ્દે ચર્ચા માટે એક આંતરિક સમિતિ રચવા જઈ રહ્યું છે. કન્નને કહ્યું, "ફ્રેન્ચાઇઝી પાસે જો વિશ્વસનીય અને ચકાસણી યોગ્ય પુરાવા હોય, તો તેઓ 17 જૂનના બપોરે 3 વાગ્યા સુધી સ્વતંત્ર તપાસ આયોગ માટે ઔપચારિક વિનંતી રજૂ કરી શકે છે. તેઓ આ સાથે સહાયક સામગ્રી (વીડિયો, ફોટોગ્રાફિક કે અન્ય કોઈ પુરાવા) પણ રજૂ કરી શકે છે."