ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, પ્રેક્ટિસ વચ્ચે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
Rishabh Pant Injured: ભારતીય ક્રિકેટ ટીમ 20મી જૂનથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે વાઈસ કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંત પ્રેક્ટિસ દરમિયાન બોલ હાથમાં વાગ્યો હતો. તેના ડાબા હાથમાં પાટો બાંધવામાં આવ્યો હતો અને બાકીના નેટ સેશનમાં ગેરહાજર રહ્યો હતો.
ધ્રુવ જુરેલનો વિકેટકીપર ટીમમાં સ્થાન મળી શકે છે!
અહેવાલો અનુસાર, રિષભ પંત સંપૂર્ણપણે ફિટ ન હોય, તો ભારતીય ટીમ ધ્રુવ જુરેલનો વિકેટકીપર તરીકે ઉપયોગ કરી શકે છે. પરંતુ ટેસ્ટ સીરિઝ માં રિષભ પંત ફિટ થવાની પૂરી શક્યતા છે. ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમે 13મી જૂનથી ઇન્ડિયા-એ સામે ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ પણ રમવાની છે.
આઈપીએલ 2025માં રિષભ પંતનું પ્રદર્શન કેવું રહ્યું?
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં રિષભ પંતનું પ્રદર્શન બહુ સારું નહોતું. તેમણે 14 મેચમાં 24.45ની સરેરાશથી 269 રન બનાવ્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની છેલ્લી મેચમાં તેણે સદી ફટકારી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પંતની કેપ્ટનશીપ હેઠળ લખનઉની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પંતનું પ્રદર્શન સારું નહોતું. ત્યારબાદ તે 5 ટેસ્ટ મેચમાં 28.33 ની સરેરાશથી 255 રન બનાવી શક્યો હતો.
આ પણ વાંચો: BIG NEWS : મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાંથી 8 યાત્રી પટકાયા, 5ના મોતની આશંકા
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, સેમ કૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.