Get The App

'મારા હાથમાં હોત તો હું એને કેપ્ટન....' વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે રવિ શાસ્ત્રીનું નિવેદન

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
Ravi Shastri on Virat Kohli Retirement


Ravi Shastri on Virat Kohli Retirement: રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટીમ શુભમન ગીલની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ પહોંચી છે. 20 જૂનથી પ્રથમ ટેસ્ટ શરુ થશે. એવામાં ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની રીત અંગે નિરાશા વ્યક્ત કરી છે. 

વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે રવિ શાસ્ત્રીનું નિવેદન 

આ અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું કે,' આ મામલાને વધુ સારી રીતે સંભાળી શકાયો હોત અને વધુ વાતચીત થવી જોઈતી હતી. જો મારા હાથમાં હોત, તો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ હું કોહલીને ટેસ્ટ કેપ્ટન બનાવી દેત.'

રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'જ્યારે તમે જશો, ત્યારે જ લોકોને અહેસાસ થશે કે તમે કેટલા મોટા ખેલાડી હતા. મને દુઃખ છે કે તેણે નિવૃત્તિ લીધી, તે જે રીતે ગયો. મને લાગે છે કે તેને વધુ સારી રીતે સંભાળી શકાયો હોત. વધુ વાત થવી જોઈતી હતી. જો મારો આમાં કોઈ હાથ હોત તો હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ તેને કેપ્ટન બનાવી દેત.'

કોહલીનું રેડ બોલ ક્રિકેટને અલવિદા કહેતા બધા આશ્ચર્યચકિત

વિરાટ કોહલીએ મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, જે સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતું. તેણે IPL 2025ની વચ્ચે એક ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.

કોહલીનો સંન્યાસ રોહિત શર્માના ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહ્યાના થોડા દિવસો પછી આવ્યો. રોહિતનો સંન્યાસ લગભગ નિશ્ચિત હતો, પરંતુ કોહલીનું તેની મનપસંદ ફોર્મેટમાંથી દૂર જવું ચાહકોને આશ્ચર્યચકિત કરી ગયું.

કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત 130 મેચોમાં 9230 રન સાથે કર્યો. આ ફોર્મેટમાં તેના નામે 30 સેન્ચુરી હતી. તે 10,000 રનથી વધારે દૂર નહોતો, પરંતુ તેણે રેકોર્ડની પરવા કર્યા વગર રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું.

'મારા હાથમાં હોત તો હું એને કેપ્ટન....' વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે રવિ શાસ્ત્રીનું નિવેદન 2 - image

Tags :