Sports

લંડન હાઈકોર્ટ પહોંચ્યો IPL ટીમનો વિવાદ, રાજ કુન્દ્રા પર બ્લેકમેલિંગનો આરોપ

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
IPLની ફ્રેન્ચાઇઝ રાજસ્થાન રોયલ્સમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા મનોજ બડાલેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. મનોજ બડાલેએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ સહ-માલિક રાજ કુન્દ્રાએ મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મનોજે લંડનની હાઇકોર્ટમાં રાજ કુન્દ્રા સામે કાનૂની લડાઈ શરૂ કરી છે. બીજી તરફ, કુન્દ્રાએ આરોપોને ફગાવી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લંડન હાઈકોર્ટ પહોંચ્યો IPL ટીમનો વિવાદ, રાજ કુન્દ્રા પર બ્લેકમેલિંગનો આરોપ

Manoj Badale initiate legal battle against Raj Kundra:  IPLની ફ્રેન્ચાઇઝ રાજસ્થાન રોયલ્સમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા મનોજ બડાલેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. મનોજ બડાલેએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ સહ-માલિક રાજ કુન્દ્રાએ મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મનોજે લંડનની હાઇકોર્ટમાં રાજ કુન્દ્રા સામે કાનૂની લડાઈ શરૂ કરી છે. બીજી તરફ, કુન્દ્રાએ આરોપોને ફગાવી દીધા છે.

રાજ કુન્દ્રા પર બ્લેકમેલિંગનો આરોપ

મનોજ બડાલે લંડન સ્થિત કંપની ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સનો પ્રમુખ છે. બડાલે અને તેમની કંપની રાજસ્થાન રોયલ્સમાં 65% હિસ્સો ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બડાલે અને તેમની કંપની ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સે કુન્દ્રા સામે કોર્ટ કેસ દાખલ કર્યો છે જેમાં તેમણે 2019ના ગોપનીયતા કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો આ આખો વિવાદ શું છે?

રાજ કુન્દ્રાનો અગાઉ રાજસ્થાન રોયલ્સમાં 11.7%નો ભાગીદાર હતો. પરંતુ વર્ષ 2015માં તે IPLમાં સટ્ટાબાજીમાં દોષિત જાહેર થયતા તેને પોતાનો હિસ્સો ગુમાવવો પડ્યો હતો. આ કારણે રાજસ્થાન રોયલ્સને પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડમાં છવાયો ગુજરાતનો ખેલાડી, 8 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રન ફટકાર્યા, વૈભવ સૂર્યવંશી પણ ફિક્કો પડ્યો

ગયા મહિને રાજ કુન્દ્રાએ મનોજ બડાલેને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો અને 11.7% હિસ્સાના સાચા મૂલ્યથી મને વંચિત રાખવામાં આવ્યો હતો.'

મનોજ બડાલેને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવાયું છે કે રાજ કુન્દ્રાએ ભારતીય અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે તેમજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને રિપોર્ટ કરવાની ધમકી આપી છે. આ મામલે રાજ કુન્દ્રાએ લલિત મોદીનો પણ સંપર્ક કર્યો છે. 

રાજ કુન્દ્રા કોઈ વાંધાજનક કે બદનામ કરતુ નિવેદન ન આપે તે માટે ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સે 30 મેના રોજ રાજ કુન્દ્રા વિરુદ્ધ વચગાળાનો કોર્ટનો આદેશ મેળવ્યો હતો. આ વચગાળાના આદેશ વિષે રાજ કુન્દ્રાના વકીલનું કહેવું છે કે, 'આ આદેશ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે રાજ કુન્દ્રાએ કંઈ ખોટું કર્યું છે.'