Sports

'હવે સમાધાનની કોઈ આશા નથી', એશિયા કપની જીતને PM મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડતાં પાકિસ્તાન હતાશ

By GS TEAM
29 Sep 20252 mins read
TukuTouch Logo
ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે સમાધાનની કોઈ આશા નથી', એશિયા કપની જીતને PM મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડતાં પાકિસ્તાન હતાશ

India Wins Asia Cup 2025: ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો  કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું.

પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની કૅપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.



પીએમ મોદીએ કર્યા હતા વખાણ

ગઈકાલે 28 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત બદલ પીએમ મોદીએ શુભકામના પાઠવી હતી. તેમણે ટીમ ઇન્ડિયાના વખાણ કરતાં સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, 'રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ છે- ભારતે ફરીથી જીત હાંસલ કરી, આપણા ક્રિકેટર્સને અભિનંદન.'

Image: ખ્વાજા આસિફ અને મોહસિન નકવી



પીએમ મોદીની આ વાતથી આસિફ નારાજ

પીએમ મોદીની આ પોસ્ટથી ખ્વાજા આસિફ ઉકળ્યા હતા. અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, 'મોદી ઉપમહાદ્વિપમાં ક્રિકેટની સંસ્કૃતિ અને લાગણીને નષ્ટ કરી રહ્યા છે. તેઓ શાંતિ અને સમાધાનની સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે.' આ પોસ્ટથી ખ્વાજા આસિફે સંકેત આપ્યો છે કે, તેઓ ભારત સાથે સમાધાન મુદ્દે વાતચીત કરવા માગતા નથી. જો કે, આ પ્રકારનું નિવેદન આપનારા ખ્વાજા એ ભૂલી ગયા છે કે, ભારત સાથે વિવાદની શરુઆત પાકિસ્તાનના આતંકવાદીઓએ કરી હતી. તેઓ આતંકવાદને સમર્થક આપી રહ્યા હોય તેવો ઇશારો કરી રહ્યા છે.

પાકિસ્તાનની નિર્લજ્જતા

પહલગામ આતંકી હુમલાનો બદલો લેતાં ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યા હતાં. પાકિસ્તાન આ નસ્તનાબૂદ થયેલા આતંકી કેમ્પોને ફરી ઊભા કરવા માગે છે. તેણે ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી કેમ્પ બનાવવા સહાય આપી હોવાના અહેવાલ છે. તદુપરાંત પાકિસ્તાની ટીમે પોતાની મેચ ફી ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દાન પેટે આપવાની જાહેરાત કરી છે. જો કે, ઓપરેશન સિંદૂરમાં આતંકીઓને જ ઠાર કરવામાં આવ્યા હતા. 

મોહસિન નકવીએ પણ બળાપો કાઢ્યો

ટીમ ઇન્ડિયા દ્વારા એશિયા કપની ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીના હસ્તે લેવાનો ઇન્કાર કરતાં તેઓ પણ રોષે ભરાયા છે. તેઓ ટ્રોફી અને મેડલ લઈ પોતાના હોટલ જતા રહ્યા હતા. તેમજ X પર પોસ્ટ કરી હતી કે, રમતગમતમાં યુદ્ધને સામેલ કરવું એ ખેલદિલીની ભાવનાનું અપમાન કરે છે.