Get The App

IND vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મુંબઈ ટેસ્ટમાંથી બહાર થયો આ ધાકડ ખેલાડી

Updated: Oct 29th, 2024

GS TEAM


Google News
Google News
IND vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મુંબઈ ટેસ્ટમાંથી બહાર થયો આ ધાકડ ખેલાડી 1 - image


Image: Facebook

IND vs NZ 3rd Test: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ મુંબઈમાં રમાશે. તે પહેલા ટોમ લેથમની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસન મુંબઈમાં ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે. આની પુષ્ટિ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે મંગળવારે (29 ઓક્ટોબર) એ કરી. વિલિયમસન પહેલા બે ટેસ્ટ મેચમાં બેંગલોર અને પૂણેમાં રમી શક્યો હતો કેમ કે તે શ્રીલંકાના તાજેતરના પ્રવાસ દરમિયાન પહોંચેલી ઈજાને ઠીક કરવા માટે ઘરે જ હતો.

વિલિયમસન વિના ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ

વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લેથમના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડે ભારતમાં પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ જીત મેળવી. કીવિઓએ મેજબાન ટીમની 18 મેચના ઘરેલૂ જીતના સિલસિલાને તોડી દીધો. 34 વર્ષીય ખેલાડીના 28 નવેમ્બરથી હેગલે ઓવલમાં શરૂ થનારી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ઘરેલૂ ટેસ્ટ સિરીઝમાં વાપસીની આશા છે. 

આ પણ વાંચો: IPLમાં દિવાળી ધમાકા! ધોની, રોહિત અને પંતના ભવિષ્યને લઈને થઈ જશે નિર્ણય, ફેન્સની આતુરતાનો આવશે અંત

ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પર નજર

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે કહ્યું, 'વિલિયમસને સારી પ્રગતિ કરી છે, પરંતુ તેને ઈંગ્લેન્ડ સિરીઝ માટે સંપૂર્ણ રીતે ફિટ થવાનો સમય આપશે.' ન્યૂઝીલેન્ડના હેડ કોચ ગેરી સ્ટીડે એક નિવેદનમાં કહ્યું, 'બાબતો સારી લાગી રહી છે, પરંતુ અમને લાગે છે કે તેના માટે ન્યૂઝીલેન્ડમાં રહેવા અને તેના રિહેબિલિટેશનના અંતિમ તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવું સૌથી સારો ઉપાય છે. આનાથી તે ઈંગ્લેન્ડ માટે તૈયાર થઈ શકે છે.'

વાનખેડેમાં એજાજે રચ્યો હતો ઈતિહાસ

ભારતનો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર રેકોર્ડ છે, પરંતુ આ એટલું સારું નથી. ટીમે 1975 બાદથી અહીં 26 ટેસ્ટ રમી છે અને તેમાંથી 12 જીતી છે. ભારતીયોએ સાત મેચ ગુમાવી છે અને સાત મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયા અહીં ગત 5 મેચોમાં માત્ર એક હારી છે. તેને છેલ્લી હાર 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મળી હતી. તે બાદથી 12 વર્ષથી અહીં ભારત અજેય છે. વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલી ગત ટેસ્ટ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે જ રમાઈ હતી.ડિસેમ્બર 2021માં કીવી ટીમના લેફ્ટ આર્મ સ્પિનર એજાજ પટેલે અહીં એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી. એજાજ એક ઈનિંગમાં 10 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડનો પહેલો અને ઈતિહાસમાં ત્રીજા બોલર બન્યો હતો. જોકે, ભારતે 372 રનથી મોટી જીત નોંધાવી હતી.

ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમ 

ટોમ લેથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, ડેરિલ મિચેલ, વિલ ઓરુર્ક, એજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચીન રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી, વિલ યંગ.

Tags :