Sports

'ગિલ કઈ દિશામાં જઈ રહ્યાં છે, તેના પર આની અસર ના થઈ', શુભમનના આક્રમક વલણ પર બોલ્યા માંજરેકર

By GS TEAM
18 Jul 20252 mins read
TukuTouch Logo
ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પર શુભમન ગિલનું પ્રદર્શન હજુ સુધી જોવા જેવું રહ્યું છે. તેણે ઘણા બેટરના રેકોર્ડ તોડ્યા છે અને ટેસ્ટ કેપ્ટન તરીકે તેણે પહેલી જીત પણ હાંસલ કરી છે. જોકે, લોર્ડ્સમાં તેનો આક્રમક રૂપ પણ જોવા મળ્યો જે સામાન્ય રીતે ક્યારે જોવા નથી મળ્યો. તેણે ઝેક ક્રોલી સામે જે રોષ દર્શાવ્યો જે જોઈ સીરિઝમાં પહેલો રોમાંચક ટર્નિંગ પોઈન્ટ આવ્યો.બેન સ્ટોક્સે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે ઇંગ્લેન્ડે ગિલની આક્રમકતાના સીધા જવાબમાં ભારત માટે સ્થિતિને જેટલું શક્ય હોય તેટલું અસહજ બનાવવાનો નિર્ણય લીધો હતો. ચોથા દિવસના છેલ્લા ક્ષણોમાં, જ્યારે ભારતની બેટિંગ બાકી હતી, ત્યારે ગિલ ખૂબ લાંબો સમય ટકી શક્યો નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગિલ કઈ દિશામાં જઈ રહ્યાં છે, તેના પર આની અસર ના થઈ', શુભમનના આક્રમક વલણ પર બોલ્યા માંજરેકર
Image source: Instagram Shubman gill/Sanjay Manjrekar
Sanjay Manjrekar On Shubman Gill: ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પર શુભમન ગિલનું પ્રદર્શન હજુ સુધી જોવા જેવું રહ્યું છે. તેણે ઘણા બેટરના રેકોર્ડ તોડ્યા છે અને ટેસ્ટ કેપ્ટન તરીકે તેણે પહેલી જીત પણ હાંસલ કરી છે. જોકે, લોર્ડ્સમાં તે આક્રમક રૂપમાં પણ જોવા મળ્યો જે સામાન્ય રીતે ક્યારેય જોવા નથી મળ્યો. તેણે ઝેક ક્રોલી સામે જે રોષ દર્શાવ્યો જે જોઈ સીરિઝમાં પહેલો રોમાંચક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. બેન સ્ટોક્સે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે, ઇંગ્લેન્ડે ગિલની આક્રમકતાના સીધા જવાબમાં ભારત માટે સ્થિતિને જેટલું શક્ય હોય તેટલું અસહજ બનાવવાનો નિર્ણય લીધો હતો. ચોથા દિવસની છેલ્લી ક્ષણોમાં જ્યારે ભારતની બેટિંગ બાકી હતી, ત્યારે ગિલ ખૂબ લાંબો સમય ટકી શક્યો નહીં.

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટનનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'જ્યારે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો ત્યારે તે પણ વધુ જોશમાં આવી જતો, અને તે આક્રમક બેટિંગ કરી સામેની ટીમને જડબાતોડ જવાબ આપી દેતો. શુભમન ગિલ પાસેથી પણ એવી જ અપેક્ષા હતી કે તે પણ વિરાટની જેમ બેટિંગ કરી આક્રમક રૂપ દેખાડશે. પણ ગિલ પર તેની કોઈ અસર થઈ નહીં.'

માંજરેકરે વધુ જણાવ્યું કે 'ગિલે લોડ્સમાં બે ટેસ્ટ મેચમાં 485 રન બનાવ્યા હતા. તેણે ચાર ઇનિંગમાં ત્રણ વાર સદી ફટકારી હતી અને તેમાં પણ તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 269 રન બનાવ્યા હતા. પણ ત્રીજી ટેસ્ટમાં તેનું પ્રદર્શન સીરિઝની તુલનામાં ખૂબ જ ખરાબ હતું. ગિલે આખી સીરિઝમાં બેટિંગ તરીકે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યુ હતું. બીજી ઇનિંગમાં અચાનકથી તે નવ બોલમાંથી ચાર બોલ મિસ કરી આઉટ થયો.'

માંજરેકરનું માનવું છે કે, ઇંગ્લેન્ડમાં ગિલનું પ્રદર્શન પહેલેથી જ બધાની અપેક્ષાઓથી વધારે રહ્યું છે. તેણે કહ્યું 'પણ ગિલ કયા પ્રકારનો કેપ્ટન બનવા ઈચ્છે છે, તે નક્કી કરવામાં તેને સમય લાગી શકે છે. મને લાગે છે કે આઠ દિવસનો આ બ્રેક તેના માટે યોગ્ય રહેશે.  તેની આસપાસ ઘણા સારા લોકો છે. ગિલના પિતા જાણે છે કે તેમનો દિકરો વિરાટ કે ધોની જેવુ પ્રદર્શન કરી શકે છે પણ હું અનુમાન લગાવી રહ્યો છું કે તેની અંદર ક્યાંક આ બંનેના ગુણ છે. તેથી તેને કેવું કેપ્ટન બનવું તેના પર વિચાર કરવો પડશે.'