Get The App

બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું - જવાબદારી તો લેવી પડશે

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને,  કહ્યું - જવાબદારી તો લેવી પડશે 1 - image


Mumbai Indians captain Hardik Pandya hints at tough decisions | મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હાલત આ સીઝનમાં દયાજનક બની ગઈ છે. પંજાબ કિંગ્સ સામેની શરમજનક હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પિત્તો ગયો છે. પંડ્યાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે ટીમમાં 'નામ' જોઈને નહીં પણ 'કામ' જોઈને જગ્યા મળશે અને નિષ્ફળ ગયેલા દિગ્ગજોને બહારનો રસ્તો દેખાડવામાં આવશે.

પંડ્યાનો પારો સાતમા આસમાને: "હવે કડક નિર્ણયો લેવાશે"

મેચ બાદ હાર્દિક પંડ્યાએ પોતાની નારાજગી છુપાવી નહોતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અમારે જોવું પડશે કે શું હવે કઠિન નિર્ણયો લેવાની જરૂર છે કે પછી અમે આમ જ ચાલતા રહીશું. આ સવાલોના જવાબ અમારે જ આપવા પડશે અને જવાબદારી પણ લેવી પડશે." પંડ્યાએ સ્વીકાર્યું કે પંજાબે દરેક વિભાગમાં મુંબઈને પછાડ્યું છે.

મોટા માથાઓની થશે રજા?

સૌથી ચોંકાવનારી વાત એ છે કે મુંબઈના ત્રણ મોટા સ્ટાર્સ - જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રડાર પર છે.

સૂર્યકુમાર યાદવ: 'ગોલ્ડન ડક' પર આઉટ થયો, 5 મેચમાં માત્ર 106 રન.

જસપ્રીત બુમરાહ: 19 ઓવર ફેંકી પણ હજુ સુધી 'એક પણ' વિકેટ મળી નથી. પંજાબ સામે 4 ઓવરમાં 41 રન લુટાવ્યા.

તિલક વર્મા: 5 મેચમાં માત્ર 43 રન.

હાર્દિકના નિવેદન પરથી લાગે છે કે આગામી મેચમાં આમાંથી કોઈ એક કે બે ખેલાડીઓને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે છે.

પંજાબનો પાવર: અય્યર અને પ્રભસિમરન છવાયા

મુંબઈએ આપેલા 195 રનના ટાર્ગેટને પંજાબે રમતા-રમતા ચેઝ કરી લીધો. પ્રભસિમરન સિંહે માત્ર 39 બોલમાં તોફાની 80* રન ફટકાર્યા, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 35 બોલમાં 66 રન ઠોકી દીધા. મુંબઈના બોલરો પાસે આ બંનેનો કોઈ જવાબ નહોતો.

પ્લેઓફની આશા ધૂંધળી

લગાતાર હારને કારણે મુંબઈ હવે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે. જો હવે પછીની એક-બે મેચમાં કમબેક નહીં થાય, તો પ્લેઓફની રેસમાંથી બહાર થવું લગભગ નક્કી છે. પંડ્યા હવે 'ડ્રોઈંગ બોર્ડ' પર જઈને આખી પ્લાનિંગ બદલવાની તૈયારીમાં છે.