પંજાબ કિંગ્સનું પહેલી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું, જાણો ફાઈનલમાં હારના 3 મોટા કારણો
PBKS vs RCB IPL 2025 Final: પંજાબ કિંગ્સનું આઈપીએલ ચેમ્પિયન બનવાનું સપનું ફરી એકવાર તૂટી ગયું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આઈપીએલ 2025ની ફાઈનલમાં પંજાબને 6 રનથી હરાવ્યું છે. જાણો પંજાબ કિંગ્સની હારના ત્રણ મોટા કારણ કયા છે.
શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ આરસીબી માટે સૌથી વધુ 43 રન બનાવ્યા. બેંગલુરૂ ટીમે પંજાબ કિંગ્સની સામે જીત માટે 191 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે આ પીચ પર ખૂબ મુશ્કેલ ન હતો.
શશાંક સિંહ અંત સુધી ટકી રહ્યા અને છેલ્લી ક્ષણો સુધી જીતની આશાએ બાંધી રાખ્યા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન અંત સુધી તેમનો સાથ ન આપી શક્યો. શશાંકે 30 બોલમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત ન અપાવી શક્યા.
પ્રભસિમરન સિંહની ધીમી ઇનિંગ
191 રનનો પીછો કરવા ઉતરતા પંજાબ કિંગ્સે પહેલી વિકેટ માટે 43 રન જરૂર બનાવ્યા, પરંતુ પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ ધીમી શરૂઆત કરી હતી. પ્રિયાંશે 19 બોલમાં 24 રન બનાવ્યા તો જ્યારે પ્રભસિમરને 22 બોલમાં 26 રન બનાવ્યા.
કેપ્ટન શ્રેયસ અય્યરનું ખરાબ પ્રદર્શન
આ સીઝન પંજાબ કિંગ્સ માટે લીડિંગ રન સ્કોરર કેપ્ટન શ્રેયસ અય્યરનું બેટ ફાઈનલમાં ન ચાલ્યું. તેઓ 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઈ ગયા, તેમને રોમારિયો શેફર્ડે પોતાનો શિકાર બનાવ્યા. જે સમયે તેઓ આવ્યા ત્યારે પંજાબ સારી સ્થિતિમાં હતી, પરંતુ તેમની વિકેટ બાદ બાજી પલટવા લાગી હતી.
નેહાલ વઢેરાએ બોલ બરબાદ કર્યા
શશાંક સિંહ અને નેહાલ વઢેરા જ્યારે ક્રીઝ પર હતા, ત્યારે પણ પંજાબ માટે જીત મુશ્કેલ નહોતી લાગી રહી. પરંતુ નેહાલે બોલ બરબાદ કર્યા, જેના કારણે ટીમ પર પ્રેશર સતત વધવા લાગ્યું. નેહાલે 15 રન બનાવવા માટે 18 બોલ બરબાદ કર્યા.