વનડે વર્લ્ડ કપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ICCએ તેનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનની ત્રણ મેચના શિડ્યુલમાં ફેરફાર
ICCએ પાકિસ્તાન ટીમની એક નહીં પરંતુ ત્રણ મેચોના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. પાકિસ્તાનની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે તેની મેચ રમવાની હતી. પરંતુ સમાચાર આવ્યા છે કે આ મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે આ જ મેદાન પર યોજાશે. 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હશે. આ કારણોસર આ મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરંતુ આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન ટીમની અન્ય મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે.
કાલી પૂજાના કારણે થયો ફેરફાર
આ સિવાય 12 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાનારી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ એક દિવસ પહેલા એટલે કે 11 નવેમ્બરે આ જ મેદાન પર યોજાશે. કાલી પૂજાને કારણે આ મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ICC વનડે વર્લ્ડ કપના ફેરફારો આ પ્રકારે છે
10 ઓક્ટોબર : ઈંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ
10 ઓક્ટોબર : પાકિસ્તાન Vs શ્રીલંકા
12 ઓક્ટોબર : ઓસ્ટ્રેલિયા Vs સાઉથ આફ્રીકા
13 ઓક્ટોબર : ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ
14 ઓક્ટોબર : ભારત Vs પાકિસ્તાન
15 ઓક્ટોબર : ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન
11 નવેમ્બર : ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ
11 નવેમ્બર : ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન
12 નવેમ્બર : ભારત Vs નેધરલેન્ડ


