ભારતની વર્લ્ડકપ વિજેતા ટીમના જાદુઈ સ્પિનરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
Piyush Chavla Retired | ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ વિજેતા ટીમના જાદુઈ લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચોંકાવી દીધા છે. પીયૂષ ચાવલા ટીમ ઈન્ડિયા માટે 2007ના ટી 20 વર્લ્ડ કપ અને 2011ના વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યો હતો. આ બંને વર્લ્ડકપ ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં જીત્યા હતા.
સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી પીયૂષ ચાવલાએ જણાવ્યું કે બે દાયકાથી વધુ સમય સુધી મેદાનમાં વીતાવ્યા બાદ હવે સમય આવી ગયો છે કે આ સુંદર રમતને અલવિદા કહું. ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઇને 2007ના ટી20 વર્લ્ડકપ અને 2011 વનડે વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો બનવા સુધીની આ અદભૂત સફરની દરેક ક્ષણ મારા માટે એક આશીર્વાદ સ્વરૂપ બની રહી છે. આ યાદો હંમેશા મારા મનમાં જીવંત રહેશે.