Get The App

ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ રદ થતાં દર્શકોને ટિકિટનું રિફંડ મળશે? જાણો નિયમ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ રદ થતાં દર્શકોને ટિકિટનું રિફંડ મળશે? જાણો નિયમ 1 - image


India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે રમાનારી ચોથી T20I મેચ ભારે ધુમ્મસને કારણે રદ કરવામાં આવી છે. ધુમ્મસ એટલું ગાઢ હતું કે મેદાન પર વિઝિબિલિટી નહિવત હતી, જેના પરિણામે ટોસ પણ થઈ શક્યો નહોતો. મેચ રદ થતા હજારો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા છે, પરંતુ ટિકિટના રિફંડને લઈને તેમને મોટી રાહત મળી શકે તેમ છે.

રિફંડ અંગે શું છે BCCIના કડક નિયમો?

હવે પ્રશ્ન એ છે કે ટિકિટ રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે? આ અંગે BCCIના બે નિયમો છે. પહેલા નિયમમાં જણાવાયું છે કે જો એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરવામાં આવે છે, તો ટિકિટ બુકિંગ ફી કાપીને સમગ્ર પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજા નિયમમાં જણાવાયું છે કે જો મેચ શરૂ થાય અને પછી હવામાનને કારણે રદ કરવામાં આવે, તો ટિકિટના પૈસા પરત કરવામાં આવશે નહીં.

ટિકિટ રિફંડ અંગે BCCI ના નિયમો જાણ્યા પછી ફેન્સએ નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાથી નિરાશ થઈ શકે, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. તે વેડફાયું ન હતું, કારણ કે લખનઉમાં T20I મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ફેન્સને ટિકિટના પૈસા ક્યારે પાછા મળશે તેની વિગતો રાજ્ય ક્રિકેટ એસોસિયેશન અને સત્તાવાર ટિકિટિંગ ભાગીદાર દ્વારા ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

IND vs SA T20 સીરિઝની સ્થિતિ શું છે?

ભારત દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝમાં પ્રથમ ચાર મેચ પછી 2-1થી આગળ છે. ભારતે કટકમાં પ્રથમ T20I જીત્યો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાએ મુલ્લાનપુરમાં બીજી T20I જીતી હતી. ભારતે ધર્મશાળામાં ફરીથી ત્રીજી T20I જીતી હતી. ચોથી T20I રદ થયા પછી, શ્રેણીની પાંચમી અને અંતિમ T20I બંને ટીમો વચ્ચે 19મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.