IND vs AUS: બીજી ટી20 મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ-11, હર્ષિતની સાથે આ ખેલાડીનું પત્તું કપાશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs AUS 2nd T20: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ થતા, હવે ભારતીય ટીમે સીરિઝ જીતવાની છેલ્લી તક જાળવી રાખવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયા ત્રીજી T20I પણ જીતી જાય છે, તો ભારત પોતાની ODI સીરિઝની હારનો બદલો લેવાની તક ગુમાવશે, જેના કારણે આગામી મેચ ભારત માટે 'કરો યા મરો' જેવી બની ગઈ છે.
ભારતીય ટીમ બેટિંગમાં નિષ્ફળ
બીજી મેચમાં ભારતીય બેટિંગ ટીમ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી અને માત્ર 125 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ટીમનો ચાર વિકેટથી પરાજય થયો હતો. જો ઓપનર અભિષેક શર્માએ એકલા હાથે 68 રનની ઇનિંગ ન રમી હોત, તો ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત. બેટિંગમાં સારું પ્રદર્શન કરનાર હર્ષિત રાણાએ 35 રન બનાવ્યા હતા, પરંતુ તેની બોલિંગ મોંઘી સાબિત થઈ હતી, તેણે બે ઓવરમાં 27 રન આપ્યા હતા.
ટીમમાં ફેરફારોની સંભાવના
કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સીરિઝ બચાવવા માટે ત્રીજી T20Iમાં કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. મોંઘો સાબિત થયેલ હર્ષિત રાણાના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. આ ઉપરાંત, સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી મેચમાં સંજુ સેમસનને ત્રીજા નંબરે બઢતી આપવામાં આવી હતી, પરંતુ તે આ તક ગુમાવી બેઠો. એશિયા કપમાં તેના નબળા પ્રદર્શન બાદ તેનું સ્થાન જોખમમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ત્રીજી T20Iમાં સંજુ સેમસનના સ્થાને યુવા બેટર જીતેશ શર્માને તક આપવામાં આવી શકે છે. ભારત માટે ત્રીજી મેચ જીતવી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, જેથી તે સીરિઝમાં 1-1ની બરાબરી કરી શકે.
આ પણ વાંચો: રોહન બોપન્નાએ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી, બે દાયકાના યાદગાર કરિયરનો અંત
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.








