Get The App

IPL 2024: રનોના વરસાદ વચ્ચે માત્ર એક સિંગલ માટે ગુસ્સે ભરાયો ગૌતમ ગંભીર, નારાજ થઈને કર્યો વાદ-વિવાદ

Updated: Apr 27th, 2024

GS TEAM

Google News
Google News
IPL 2024: રનોના વરસાદ વચ્ચે માત્ર એક સિંગલ માટે ગુસ્સે ભરાયો ગૌતમ ગંભીર, નારાજ થઈને કર્યો વાદ-વિવાદ 1 - image

Image: Facebook

IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર ગૌતમ ગંભીર IPLની આ સિઝનમાં ખૂબ શાંત નજર આવી રહ્યો છે. કેટલાક અવસરે ગંભીરનો ગુસ્સો જોવા મળ્યો. RCB સામે ટીમની છેલ્લી મેચમાં તે અમ્પાયરથી નારાજ થઈ ગયો હતો. સુનીલ નરેનના સ્થાને સબ્સ્ટીટ્યૂટ ફીલ્ડરને મેદાન પર ન જવા દેવાના કારણે ગંભીર મેચ ઓફિશિયલથી નારાજ હતો. 

કેકેઆરને સિંગલ ન મળ્યો

14મી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 12થી વધુ રન રેટની બેટિંગ કરી રહી હતી. ક્રીજ પર આંદ્રે રસેલ અને વેંકટેશ અય્યર હતા. ઓવરના અંતિમ બોલ પર રાહુલ ચહર સામે આંદ્રે રસેલે કવરની તરફ શોટ રમ્યો. ત્યાં ફીલ્ડિંગ કરી રહેલા આશુતોષ શર્માએ બોલને ઉઠાવીને વિકેટકીપરની તરફ થ્રો કર્યો. થ્રો વિકેટકીપરથી દૂર હતો અને આ વચ્ચે રસેલ અને અય્યર સિંગલ ભાગી ગયો. પરંતુ તે બાદ પણ કેકેઆરને રન મળ્યા નહીં.

ગંભીરે અમ્પાયર સાથે વિવાદ કર્યો

કોલકાતા નાઈડ રાઈડર્સને સિંગલ તેટલા માટે ન મળ્યો કેમ કે થ્રો કરવાના કારણે પહેલા જ મેદાની અમ્પાયરે ઓવર પૂર્ણ થવાનો ઈશારો કરી દીધો હતો. તેનો અર્થ હતો કે તે બોલ અમ્પાયરના ઈશારાની સાથે જ ડેડ થઈ ગયો હતો. દરમિયાન તેની પર હવે રન બની શકે નહીં. ગૌતમ ગંભીર તેનાથી નારાજ થઈ ગયો. તાત્કાલિક પોતાની શીટ પરથી ઉઠીને તે ફોર્થ અમ્પાયર પાસે ગયો અને નારાજગી વ્યક્ત કર્યો. જોકે તે બાદ પણ કેકેઆરને આ એક રન મળ્યો નહીં. 

એક-એક રનની કિંમત હોય છે

ક્રિકેટની રમતમાં એક-એક રનની કિંમત હોય છે. ભલે પંજાબ કિંગ્સે મેચ જીતી લીધી પરંતુ એ પણ શક્ય હતું કે એક રનના કારણે હાર અને જીતનો તફાવત હોત. આ જ કારણસર ગૌતમ ગંભીર ટીમને સિંગલ ન મળવાના કારણે નારાજ થઈ ગયો. કેકેઆરે પોતાની છેલ્લી મેચમાં જ આરસીબી સામે એક રનથી જીત મેળવી લીધી હતી.