Sports

'IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને પણ રમવાની તક મળવી જોઈએ..' વસીમ અકરમે ICC સમક્ષ કરી માગ

By GS TEAM
6 Nov 20252 mins read
TukuTouch Logo
ઝડપી બોલર વસીમ અકરમે ICC પાસે દખલગીરીની માંગ કરી છે, જેથી 'ખેલને રાજકારણથી અલગ' રાખી શકાય. એક ઇન્ટરવ્યૂમાં અકરમે ક્રિકેટમાં રાજકારણને નાપસંદ કરીને કહ્યું કે દરેક લીગમાં દરેક દેશના ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેમનો સ્પષ્ટ ઇશારો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓ પરના પ્રતિબંધ તરફ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને પણ રમવાની તક મળવી જોઈએ..' વસીમ અકરમે ICC સમક્ષ કરી માગ
(FILE PHOTO)

Wasim Akram: ઝડપી બોલર વસીમ અકરમે ICC પાસે દખલગીરીની માંગ કરી છે, જેથી 'ખેલને રાજકારણથી અલગ' રાખી શકાય. એક ઇન્ટરવ્યૂમાં અકરમે ક્રિકેટમાં રાજકારણને નાપસંદ કરીને કહ્યું કે દરેક લીગમાં દરેક દેશના ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેમનો સ્પષ્ટ ઇશારો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓ પરના પ્રતિબંધ તરફ હતો.

ક્રિકેટમાં રાજકારણ મને નાપસંદ: અકરમ

ઇન્ટરવ્યૂમાં અકરમે કહ્યું કે, 'સોરી, પણ મને ક્રિકેટમાં રાજકારણ પસંદ નથી. ખેલને રાજકારણથી અલગ રાખવો જોઈએ. લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને પસંદ કરો. હિંમત રાખો. મોટા દિલવાળા બનો. પરંતુ કમનસીબે, આ થઈ રહ્યું નથી અને મને લાગે છે કે અહીં ICC એ દખલ દેવી જોઈએ. અહીં ક્રિકેટ બોર્ડ્સને આગળ આવવું જોઈએ. લીગનો કે ટીમનો માલિક કોણ છે તેનાથી કોઈ ફરક પડવો ન જોઈએ. દરેક દેશના દરેક ખેલાડીની પસંદગી થવી જોઈએ.'

પાકિસ્તાનની નાપાક હરકતોની રમતગમતના સંબંધો પર અસર

પાકિસ્તાનની નાપાક હરકતોના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવની અસર આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપ પર જોવા મળી હતી. દ્વિપક્ષીય શ્રેણીઓથી દૂર રહેતી ભારત અને પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં ફાઇનલ સહિત ત્રણ મેચમાં આમને-સામને આવી, જોકે કોઈપણ મેચમાં ખેલાડીઓએ એકબીજા સાથે હાથ ન મિલાવ્યા.

આ અસહયોગનું કારણ એપ્રિલમાં પહલગામમાં પ્રવાસીઓની લક્ષિત હત્યાઓ હતી, જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓએ ધર્મ પૂછીને પ્રવાસીઓની તેમના પરિવારજનોની સામે જ બર્બરતાથી હત્યા કરી હતી.

પાકિસ્તાની ખેલાડીઓનું મૌન અને વિવાદાસ્પદ નિવેદનો

જે વસીમ અકરમ ખેલને રાજકારણથી દૂર રાખવાનું જ્ઞાન આપે છે, તેમણે કે અન્ય કોઈ પાકિસ્તાની ખેલાડીએ ક્યારેય આતંકી હુમલાઓની નિંદા સુદ્ધાં કરી નથી. વળી, શાહિદ આફ્રિદી જેવા કેટલાક પૂર્વ ક્રિકેટરો સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. તો, શોએબ અખ્તરે તો ભારતીય મંચ પર આવીને ખુલ્લેઆમ 'હિન્દુ-મુસ્લિમ સાથે રહી શકતા નથી' એવું કહીને ટુ-નેશન થિયરીની બડાઈ પણ હાંકી છે. આ ઉપરાંત, ત્યાંના એક મંત્રીએ ACCના અધ્યક્ષ તરીકેની પહોંચનો લાભ લઈને ભારતીય ટીમની ટ્રોફીની ચોરી પણ કરી છે.

આ પણ વાંચો: હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025: પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવા ઉતરશે ભારતીય ખેલાડીઓ, ટીમની થઈ જાહેરાત

IPLનું નામ ન લીધું, પણ ઈશારો સ્પષ્ટ હતો

અકરમે પાકિસ્તાની ક્રિકેટરો કે IPLનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો. તેમણે સીધું એમ ન કહ્યું કે IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને તક મળવી જોઈએ, પરંતુ તેમનો ઇશારો એકદમ સ્પષ્ટ હતો કે IPLમાં કોઈપણ દેશનો ખેલાડી રમી શકે છે, બસ પાકિસ્તાનનો નહીં.