Get The App

IPL 2025: 'હું એ લોકોમાંથી નથી જે...', પાંચ પરાજય છતાં ટીમમાં ફેરબદલ નહીં કરે ચેન્નઈ સુપર કિંગ્સ

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: 'હું એ લોકોમાંથી નથી જે...', પાંચ પરાજય છતાં ટીમમાં ફેરબદલ નહીં કરે ચેન્નઈ સુપર કિંગ્સ 1 - image


Chennai Super Kings: ચેન્નઈ સુપર કિંગ્સને IPL 2025માં સતત પાંચમી વખત હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ પોતાના ખેલાડીઓનું સંપૂર્ણ સમર્થન કરતા કહ્યું છે કે, હમણાંથી જ હાર સ્વીકારી લેવાની જરૂર નથી અને પાંચ વખતની ચેમ્પિયન ટીમ પાસે યોગ્ય ખેલાડી છે. ચેન્નઈને પોતાના ઘરેલૂ મેદાન ચેપોકમાં 9 વિકેટ પર 103 રનનો પોતાનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર બનાવ્યા બાદ શુક્રવારે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. 

અમારી પાસે યોગ્ય ખેલાડી છે

માઈકલ હસીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મારું હજુ પણ માનવું છે કે, અમારી પાસે યોગ્ય ખેલાડી છે. અમારે ફક્ત તેમને થોડો આત્મવિશ્વાસ અને સુસંગતતા મેળવવામાં મદદ કરવાની છે. ત્યારબાદ અમે સાચા રસ્તે આગળ વધી શકીશું, પછી તે બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ હોય. અમારી રમતની શૈલીની ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ અમારી પાસે જે ખેલાડીઓ છે તેમને અમે અલગ રીતે રમવા માટે કહેવા નથી માગતા. અમે ઈચ્છીએ છીએ કે તઓ પોતાની સ્વાભાવિક રમત રમતા રહે. 

પાંચ પરાજય છતાં ટીમમાં ફેરબદલ નહીં કરે ચેન્નઈ સુપર કિંગ્સ 

ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ બેટરે કહ્યું કે, તેઓ પોતાની રીતે રમવા અને વાસ્તવમાં સારું પ્રદર્શન કરવા માટે IPLમાં આવ્યા છે. 'હું એ લોકોમાંથી નથી જે તેમને અલગ રીતે રમવાનો પ્રયાસ કરાવે છે. તેઓ આ જ રીતે રમીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહ્યા છે.' 

હસીએ એ સૂચનોને ફગાવી દીધા કે ચેન્નઈએ તેમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ટોપના ખેલાડીઓનો સામેલ કર્યા છે અને તેઓ પોતાના યુવા ખેલાડીઓને તક આપવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ચેન્નઈના મિડલ ઓર્ડરમાં ભારતીય ખેલાડીઓ રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, વિજય શંકર અને દીપક હુડા સામેલ છે જેઓ આ સિઝનમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચો: IPL 2025: ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ખેલાડી ચાલુ ટુર્નામેન્ટ છોડી પોતાના દેશ પરત ફર્યો

અમારી પાસે જે ખેલાડી છે તેઓ સારું પ્રદર્શન કરવામાં સક્ષમ

તેણે કહ્યું કે, હું આનાથી સહમત નથી. અમારી પાસે ભૂતકાળમાં એવા અનેક ખેલાડી રહ્યા છે જેઓ પોતાના અંતિમ પડાવમાં ચેન્નઈ તરફથી રમ્યા જેમ કે, શેન વોટ્સન અને અજિંક્ય  રહાણે. તેમણે ચેન્નઈ માટે ખરેખર શાનદાર પ્રદર્શન કર્યું છે. મને હજું પણ લાગે છે કે, અમારી પાસે જે ખેલાડી છે તેઓ સારું પ્રદર્શન કરવામાં સક્ષમ છે.

હસીએ કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે અમારી પાસે કેટલાક સારા યુવા ખેલાડીઓ છે જે તકની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ક્યારેક-ક્યારેક મને લાગે છે કે જ્યારે ટીમો હાર માની લે છે અને વિચારે છે કે, હવે આપણે ટુર્નામેન્ટ જીતી શકતા નથી અને હવે આપણે યુવા ખેલાડીઓને અજમાવીશું તો અમે હજુ તે સ્થિતિમાં નથી. અમે ચોક્કસપણે હજુ સુધી હાર નથી સ્વીકારી રહ્યા. 

Tags :