દુબઈની પિચથી ભારતને ફાયદો: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું મોટું નિવેદન
Champions Trophy Final 2025: આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની પાકિસ્તાને કરી હતી. જોકે સુરક્ષા કારણોસર ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી ન આપતા હાઇબ્રીડ મોડલ પર મેચો રમાઈ હતી. ટીમ ઈન્ડિયાની તમામ મેચો દુબઈમાં યોજવામાં આવી. હવે આ મુદ્દે ચેમ્પિયન્સ ટ્રોફીની અન્ય ટીમો સવાલ ઉઠાવી રહી છે. એવામાં ફાઇનલ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને પણ આરોપ લગાવ્યો છે કે ટીમ ઈન્ડિયાને એક જ જગ્યાએ રમવાનો ફાયદો થયો છે.
રોહિત શર્માએ અગાઉ આપ્યો હતો જવાબ
ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં હોવાથી અનેક ટીમોએ પાકિસ્તાનથી દુબઈ અવરજવર કરવી પડી હતી. જેને લઈને સવાલ ઉઠ્યા કે અન્ય દેશના ખેલાડીઓને આરામનો સમય ન મળ્યો. આ સિવાય ભારતીય ટીમ પર બીજો આરોપ લાગી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાની તમામ મેચ એક જ જગ્યાએ હોવાથી તેમને ફાયદો થયો છે. જે બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, 'દુબઈ કંઈ અમારું ઘર નથી.'
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેંટનરે કહ્યું છે, કે 'ભારતે તમામ મેચો દુબઈમાં રમી જેના કારણે તેઓ પિચને જાણે છે. આ પિચ લાહોરની પિચ કરતાં થોડી ધીમી હોઈ શકે છે, પણ અમે સંઘર્ષ કરવા માટે તૈયાર છીએ. મને લાગે છે કે થોડા દિવસ પહેલા જે દેખાવ કર્યો હતો (ટેસ્ટ સીરિઝમાં ભારતને હરાવ્યું હતું), તેના કરતાં પણ સારો દેખાવ કરીશું.