Get The App

સ્લિપ ડિસ્ક, કમરનો દુ:ખાવો અને ઉપચારો

Updated: Oct 5th, 2021

GS TEAM


Google News
Google News
સ્લિપ ડિસ્ક, કમરનો દુ:ખાવો અને ઉપચારો 1 - image


- શેક દરદનો ઉત્તમ ઇલાજ છે. રેતને ગરમ કરી પોટલીમાં લઇ ઉંધા સુઇને કમર ઉપર ફેરવવી આને આયુર્વેદમાં રૂક્ષસ્વેદ કહે છે

કુ દરતે આપણી પીઠ થાંભલા જેવી સીધી બનાવી નથી. આપણી પીઠ ઉપર મણકાની સંખ્યા ૨૪ છે. કમરનાં ૫માં મણકા નીચે સેક્રમ નામનું હાડકું આવેલું છે. આ સક્રેમ નીચે કોકસિક્સ નામનું હાડકું આવેલું છે. દરેક મણકા નીચે ડિસ્ક (ગાદી) રહેલી હોય છે. આવી ૨૩ ડિસ્ક હોય છે.

આ ડિસ્ક સ્થિતિ સ્થાપક પદાર્થની બનેલી છે. તે ડિસ્કનાં બે ભાગ હોય છે. (૧) કેન્દ્રમાં પોચો જેલી જેવો પદાર્થ હોય છે. જેને ન્યુક્લિઆસપલ્યોસસ કહે છે. તેની આજુબાજુ રેસા જેવો પદાર્થ (એન્યુલસફાઇબ્રોસસ) કહે છે. ન્યુક્લિઅસઅને એન્યુલસ વચ્ચે ખૂબ દબાણ હોય છે. દબાણ હોવા છતાંય તે ન્યુક્લિઅસ એની મર્યાદાની બહાર ન જાય તેની એન્યુલસ ચોકી કરે છે. ડિસ્ક (ગાદી) ખૂબ જ આ રીતે મહત્વની ફરજ મણકામાં બજાવે છે. પોતે પોચી અને સ્થિતિ સ્થાપક હોવાથી મણકા આગળ પાછળ, એકબીજા ઉપર રહી શકે છે, પોતે સ્થિતિ સ્થાપક હોવાથી આંચકા ઝીલી શકે છે.

સ્લિપડિસ્ક  (Slipdisk) એટલે બે મણકાની વચ્ચેની આ ગાદી ખસી જવી. કમરનાં દુ:ખાવામાં, સાઇટીકા થવાનાં કારણોમાં આ એક મુખ્ય કારણ છે.

એવું પણ જોવા મળે છે કે કમરનાં પાંચમાં મણકા અને છેલ્લા સેક્રમની વચ્ચે સ્લિપડિસ્ક વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારપછી કમરનાં ચોથા અને પાંચમાં મણકાની વચ્ચેની ડિસ્ક ખસે છે જે ચોથા મણકાની ઉપરની ડિસ્ક (ગાદી) ખસે તેવું ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સ્લિપડિસ્ક (ગાદી ખસ્યા પછી) થયા પછી શરૂઆતમાં કમરમાં દુ:ખાવો થાય છે. પછીથી આખા પગમાં દુ:ખાવો ઝણઝણાટી (સાયેટિકા) થાય છે. સ્ત્રી-પુરુષ બંનેમાં સ્લિપડિસ્ક થાય છે.

સામાન્યરીતે અઢાર અને પચ્ચાસ વર્ષની વચલી ઉંમરમાં અથવા આ ગાળામાં સ્લિપ ડિસ્ક થવાની શક્યતા વધારે છે. પચ્ચાસ વરસ પછી ડિસ્ક (ગાદી) બરડ થાય છે અને ન્યુક્લિઅસનું પ્રમાણ પણ સુકાતું જાય છે. આથી સ્લિપડિસ્ક થવાની સંભાવના ઉંમર વધવાની સાથે ઓછી થતી જાય છે અને અઢાર વરસની નીચેની ઉઁમરમાં પાછળનો સ્નાયુ (લિગામેન્ટ) જાડો હોય છે અને જલ્દી તૂટતો નથી.

કારણો : આ ગાદી ખસવાના કારણોમાં કમરનો અચાનક આંચકો આવવો, જોરથી કોઇ વસ્તુને ધક્કો મારી ભારે વસ્તુને ખસેડવાનું જોર કરવાથી, આંચકો મારીને ભારે વજન નીચેથી ઉચકાવ્યું હોય, ઝડપથી દોડવાથી, સમજ્યા વિના ભારે આસનો ઝડપથી કરવાથી, ગાડીમાં થથડાત લાગવાથી, વાગવાથી, આ કમરની ગાદી ખસી જવાનો રોગ જોવા મળે છે.

સારવાર : ૧. સપાટ પથારીમાં ચતા સુઇને સંપૂર્ણ આરામ કરવો. ૩ થી ૪ અઠવાડીયા સુઇ રહેવું જોઇએ. મોટા ભાગના દરદીઓ આટલો આરામ કરતા નથી. નગોડનાં પાનને પાણીમાં ધીરે તાપે ઉકાળી તેની વરાળનો કમરમાં શેક લેવાથી કમરના દુ:ખાવામાં સારી રાહત રહે છે. અથવા ગરમપાણીની કોથળી કમર નીચે રાખવી તથા ઇલેક્ટ્રીક હોટ બેગ આવે છે તે કમરે રાખવી. તેમજ કસરત નિષ્ણાંત ફીઝીયોથેરાપી દ્વારા સોર્ટવેડાયથેમીનો શેક લેવો.

૨. બન્ને પગે-નીચેનાં ભાગે ઇંટો કે વજનીયા લટકાવી રાખી ટ્રેક્શન લેવા. આવું બે-ત્રણ મહિના કરવાથી ધીરે ધીરે રાહત થઇ જાય છે.

૩. ઉભા થવું નહિં, વાંકા વળવું નહીં, સંડાશ-બાથરૂમ, જમવાનું વિગેરે રોજીંદી ક્રિયાઓ પથારીમાં જ કરી લેવી જોઇએ.

૪. ઉંધા સુઇને મહાનારાયણ તેલ, પંચગુલ તેલ વિષગર્ભ તેલ, નિર્ગુણિ તેલ ને સ્હેજ ગરમ કરી હળવા હાથે શેક કર્યા પછી કમરે લગાડવું. (ઉભા હાથે)

૫. શેક દરદનો ઉત્તમ ઇલાજ છે. રેતને ગરમ કરી પોટલીમાં લઇ ઉંધા સુઇને કમર ઉપર ફેરવવી આને આયુર્વેદમાં રૂક્ષસ્વેદ કહે છે.

૬. મેથી-અજમા ને શેકીને તેનો ભૂક્કો કરીને સવારે-સાંજે રાસ્નાદિક્વાથ ૨ ચમચી લઇ તેની સાથે પી જવું.

૭. ખોરાકમાં દૂધ-માખણ-લીલા શાકભાજી તથા સામાન્ય રોજીંદો ખોરાક લઇ શકાય. ખોરાકની પરેજીની ખાસ જરૂર નથી. પરંતુ કબજિયાત અજીર્ણ, અપચો રહેતો હોય તો વૈદ્ય કે ડોક્ટરની સલાહ મુજબ પથ્ય પાળવું.

૮. ત્રણ મહિનાના આરામની ધીરજ-શ્રદ્ધા રાખવી જરૂરી છે. ઉતાવળે આંબા પાકે નહી તેમ અનુસરવું. મનની શાંતિ રાખવી. ધીરજ આ રોગને મટાડવામાં ખુબ જ મહત્વની છે, ઇશ્વરમાં શ્રદ્ધા રાખવી તેમજ નિષ્ણાતોની સલાહને અનુસરવું.

૯. માહ (યોગરાજ ગુગલ કે શલાકીની ગોળી તથા બૃહતવાત ચિંતામણી રસની ગોળી લેવી. રાસ્નાસપ્તક કે દેશમૂલક્વાથ ર ચમમી-૩ વાર પીવો.

૧૦. સાજા થયા પછી કમરને પટ્ટો (લંબર બેલ્ટ) પહેરી રાખવો. વાંકા વળવું નહિ. વજન ઉચકવું નહી, દોડોદોડ કરવી નહી.

હાલમાં ન્યુરોસર્જરીનો વિકાસ અને સારવાર આમાં સારો લાભ આપે છે. આથી તેની સલાહ પણ લેવી અને તે કહે તેમ કરવું જોઇએ.

જેનાથી લાભ થાય અને બીજા ઉપદ્રવો ઉત્પન્ન થાય તે જ સાચી અને સારી સારવાર છે.

- ઉમાકાન્ત જોષી

લક્ષણો

કમરનો સખત દુઃખાવો થવો

કમરથી આગલા ભાગમાં સ્હેજ વળી જવું

દરદી આસાનીથી વળી શકતો નથી થોડું આગળ વળ્યા પછી સીધું થવામાં તકલિફ થાય.

સામાન્યરીતે સીધા સૂતા પછી પગ ૮૦થી ૯૦ ડિગ્રી જેટલો ઉંચો થવો જોઇએ. પરંતુ આ રોગમાં મણકાની ગાદી ઉપર દબાણ આવવાથી પગ એટલો ઉંચો થઇ શકતો નથી આને S.L.R. કહે છે.

હાડકાનાં રોગોનાં દાક્તરો (ઓર્થોપેડિક સર્જન) આવા લક્ષણો તથા હેમર (નાની હથોડી)થી ગોઠણથી રીફલેક્ષ જોઇને નિદાન કરે છે. જરૃર પડે તો એક્સ રે, સી.ટી. સ્કેન તથા એમ.આઈ.આર. જેવા નિદાનના નવા ઉપકરણોની મદદથી ચોક્કસ નિદાન કરી લે છે.

Tags :