Get The App

વિવાન, વિરાગી અને અન્યા .

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
વિવાન, વિરાગી અને અન્યા                                   . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં બંધાતા દરેક સંબધો શાશ્વત નથી હોતા. દરેક સંબંધોની એક અવધિ ચોક્કસ હોય છે. જીવનમાં થયેલા બધા જ પ્રેમ સંબંધો જીવનભરનો સાથ કે સંગાથ નથી બની રહેતાં પણ કેટલાંક યાદોમાં રહેવા માટે હોય છે. એને કડવી યાદો બનાવવી કે મીઠી એ તમારા હાથમાં છે

જી વનમાં કેટલાક લોકો માત્ર પાઠ ભણાવવા માટે જ આવે છે. કદાચ અન્યા વિવાનને એ પાઠ શીખવીને જ ગઈ છે કે કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાયેલા હોય છે એને જોડવા જરૂરી હોતા નથી.

વિવાનને છેલ્લા ત્રણ મહિનાથી કોઈપણ બાબતમાં રસ રહ્યો નથી. ધંધામાં ધ્યાન ન રહેતું હોવાને કારણે તેને આઠ દસ લાખની ખોટ ગઈ છે. ત્રણ વર્ષના કિલ્લોલતા યશને ભાગ્યે જ તેણે રમાડયો છે. પત્નીની સામે જોવાની તો તેણે તસ્દી સુધ્ધા પણ લીધી નથી. ઘરમાં બધા એમ સમજે છે કે માર્કેટમાં ચાલતી મંદીના ભયાનક ઓછાયમાં વિવાન ભયાનક રીતે સપડાઈ ગયો છે. પરંતુ ત્રણ મહિના પહેલાં જિંદગીમાં નવબહાર આવી હોય એ રીતે ખીલેલા અને રંગીલા થઈને ફરતાં પુત્રમાં એકાએક આવેલા બદલાવને સમજતાં પિતા પરેશભાઈને બહુ વાર ન લાગી. કારણ મૂળભૂત રીતે અંતમુર્ખી સ્વભાવના પુત્રની રંગેરગથી તે માહિતગાર હતાં.

વાત કંઈક આમ હતી. વિવાન અને વિરાગીના છ વર્ષ પહેલાં ધામધૂમથી લગ્ન થયા હતાં. આમ તો બન્નેના સ્વભાવમાં વિરોધાભાસ ઘણાં હતાં. કુટુંબની રહેણીકરણી પણ સાવ અલગ હતી. એમાં પણ વિરાગીના પિતા સુમેશભાઈ પાર્ટી કલ્ચરના માણસ હતાં. તેમને જમાઈ અને વેવાઈને કોઈપણ કારણ શોધી આમંત્રણ આપવાનો ઘણો ચસકો હતો. સુમેશભાઈના સ્વભાવની આ લાક્ષણિકતાને વિવાન તેમની જમાઈને વશ કરવાની વૃત્તિ સમજી બેસે છે અને આમાંથી ચણભણ થાય છે જે વિરાગીના વારંવાર પિયર ચાલ્યા જવાથી માંડી છૂટાછેડા સુધીની વાતોમાં પણ પરિણમે છે પરંતુ છેવટે 'ડાંગે માર્યા પાણી જુદા ન પડે' એમ વિવાન અને વિરાગી આખરે એને એ કાયમી ટકાવી રાખવા માંગે છે.

પરંતુ વિવાન દગાખોરીની આગમાં હડહડ બળી રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે હવે પછીનું જીવન તે અન્યા વગરજ જીવી લેશે. જો એને ખબર હોત કે અન્યા એની વફાદારીનો બદલો આટલી બેવફાઈથી આપવાની છે તો એના જીવનનો કિંમતી સમય એ બરબાદ ન કરત. હવે તેને સમજાઈ ગયું છે કે અન્યા કેટલી બેરહેમ હતી અને પ્રેમની તેને મન શું કિંમત હતી. કોઈનું દિલ તોડવાથી કોઈને કેટલી ભયાનક પીડા થાય છે તેનો તેને કદાચ અણસાર સુદ્ધા નથી. વિવાનને એ પણ સમજાયું કે 'કેવી વ્યક્તિને મેં પ્રેમ કર્યો છે ?'વિવાન હવે એની આંખોમાંથી વહેતા મોતી સમાન આંશુ એના દિલના થઈ ગયેલા ટુકડે-ટુકડા અને અન્યાએ તેના પર ગુજારેલ જુલ્મો ભૂલી શકે તેમ ન હતો. તેને એમ લાગતું હતું કે જે જીવન તે અન્યા સાથે જીવી ગયો, એ સમય દરમ્યાન એને પ્રેમનો જે અનુભવ થયો એ જીવનમાં હવે ક્યારેય નહીં થાય. વિરાગી સાથે એ ક્યારેય પ્રેમસંબંધ નહીં બનાવી શકે. તેતો પુત્રમાં વ્યસ્ત છે અને બન્ને વચ્ચે ભાવનાત્મક અંતર કાયમી રહેશેજ. એ ફરી અન્યા જેમ બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાય એની તલાસમાં છે પરંતુ કોઈનો આશરો કે ઉતારો એમ જલ્દી મળે એમ લાગતું નથી. વિવાન, વિરાગી અને અન્યાનો સંબંધ ત્રિકોણ કેટલોક વિશ્લેષણાત્મક અભ્યાસ માંગી લે છે. વિવાનની ઉદાસી અને નીરસતાને નાથવા દવાઓના ઉપચારની અનિવાર્યતા તો છે જ પણ એ ઉપરાંત વિવાનના વિચારોને એક ચોક્કસ દ્રષ્ટિ અને દિશા આપવી અત્યંત જરૂરી છે. અન્યા પાસેથી વફાદારીની ઇચ્છા રાખતો વિવાન શું વિરાગીને વફાદાર છે? જો વિરાગી સાથે મન અને તનનો કોઈ મેળાપ જ ન હોય તો એવા સંબંધોને ઢસડાવા કરતાં એનો યોગ્ય સમયે અંત લાવવો યોગ્ય ન હતો ? વિવાન અને વિરાગી જેવાં સંબંધમાં રહેતા યુવક અને યુવતીએ વિચારવું જોઈએ કે સું તેઓ પ્રેમમાં જીવી રહ્યા છે કે ફક્ત સંબંધમાં ? આવા સંબંધોમાં થોભવું સાચું છે કે આગળ વધવું સાચું છે ? પરંતુ હવે જ્યારે ત્રણ વર્ષનો યશ છે ત્યારે આ સંબંધોનુ પુન:ગઠન કરવા વૈજ્ઞાનિક રીતે કરાતી કપલ થેરાપી અને મેરાઈટલ થેરાપી સારા પરિણામો લાવી શકે. પરંતુ એ પહેલા વિવાને એના મનમાં તેના અને અન્યાના સંબંધોની સ્પષ્ટતા કરવી ઘણી જરૂરી છે. વિવાને એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં બંધાતા દરેક સંબંધો સાશ્વત નથી હોતા. દરેક સંબંધોની એક અવધિ ચોક્કસ હોય છે. જીવનમાં થયેલા બધા જ પ્રેમ સંબંધો જીવનભરનો સાથ કે સંગાથ નથી બની રહેતાં પણ કેટલાંક યાદોમા રહેવા માટે હોય છે. એને કડવી યાદો બનાવવી કે મીઠી એ તમારા હાથમાં છે.

અન્યાએ એના પર કરેલા જુલ્મોને એ ક્યારેય ભૂલી નહીં શકે એવું માનતા વિવાને એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક લોકો માત્ર પાઠ ભણાવવા માટે જ આવે છે. કદાચ અન્યા વિવાનને એ પાઠ શીખવીને જ ગઈ છે કે કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાયેલા હોય છે એને જોડવા જરૂરી હોતા નથી. હવે જો કઈ જોડવું જરૂરી હોય તો એ વિવાન વિરાગી અને યશના સંબંધોને જોડવા જરૂરી છે. અન્યા વિવાનને એક વાત શીખવીને ગઈ છે કે ઉછીના સુખથી જીવનમાં મળતો આનંદ એક ભ્રમ હોય છે, જેનું નિરસન નક્કી જ હોય છે. એટલે જ વિવાનને એ જ સંદેશ છે કે હવે વાસ્તવિકતામાં આવી જીવનને સાચા અર્થમાં આનંદમય બનાવવું.

ન્યુરોગ્રાફ

કેટલાક ય્ર્ર્ગ મઅી સમય અને 

પરિસ્થિતિની જરૂરિયાત હોય છે.

Tags :