Get The App

બાળકને 'ડીહાઇડ્રેશન' કેમ રોકવું ?

- ચાઈલ્ડ કેર - મૌલિક બક્ષી

- વાયરસ- બેક્ટેરીયા મોં વાટે આંતરડામાં ઇન્ફેક્શન લગાડે. પાતળા, પાણી જેવા ચીકણા, વારંવાર ઝાડા થાય

Updated: Sep 8th, 2020

GS TEAM


Google News
Google News
બાળકને 'ડીહાઇડ્રેશન' કેમ રોકવું ? 1 - image


ઝાડા- ઉલ્ટી : બાળકને થતો સૌથી સામાન્ય છતાં ભારે પડી શકે તેવો રોગ છે. ૬થી ૧૧ માસની ઉંમરે આ રોગ વધુ પ્રમાણમાં થાય. ગંદકી, ચોમાસુ, ભેજ, દૂષિત પીવાનું પાણી, દૂધ, ખોરાક, અસ્વચ્છતા, માખી, મુસાફરી - વાતાવરણના આ પરિબળો ઝાડા-ઉલ્ટીના રોગચાળા માટે જવાબદાર છે.

શું થાય ? : વાયરસ- બેક્ટેરીયા મોં વાટે આંતરડામાં ઇન્ફેક્શન લગાડે. પાતળા, પાણી જેવા ચીકણા, વારંવાર ઝાડા થાય. ઝાડામાં લોહી આવે ત્યારે 'ડીસેન્ટ્રી' કહેવાય, વારંવાર ઉબકા આવે, ઉલ્ટી થાય, કંઈ પણ આપો તે ટકે નહીં, ઝાડા ઉલ્ટી જેટલા જલ્દી અને એકદમ શરૂ થાય તેટલા વધુ ભારે, ધીમે ધીમે પેશાબ ઘટતો જાય, આંખ ઉંડી ઉતરવા માંડે, ચામડી પર કરચલી દેખાય છે, રડે તો પણ આંસુ ન નીકળે, બાળક 'ડલ' નબળું પડતું જાય, ઘેનમાં રહે, વજન ઘટી જાય, નવજાત અને નબળું બાળક ઓછા પ્રમાણના ઝાડા- ઉલ્ટીમાં પણ વધુ નુકસાન પામશે. શરૂઆતમાં બાળક પ્રવાહી લેેેશે બહુ તરસ લાગશે અને પછી સાવ લેતું બંધ થઈ જશે.

બાળક ક્યારે ગંભીર ? : નવજાત બાળક અને અપૂરતા પોષણ ધરાવતા બાળકો ૧૦ ટકાથી વધુ વજન ઘટી જાય. પેશાબ ૮ કલાકમાં ન થયો હોય, ખૂબ મોટા પ્રમાણમાં વારંવાર ઝાડા-ઉલ્ટી હોય, લોહી આવે, બેભાન થઈ જાય. ઓરી નીકળ્યા હોય, ચામડી પર કરચલી પડે, તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જાઓ કદાચ દાખલ કરવો પડે.

સારવાર : સામાન્ય કેસને ડોક્ટરની સલાહ પ્રમાણે ઘેર સારવાર અપાય ધાવણ આપવાનું ચાલુ રાખો ર્ંઇજી ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન આપો, તૈયાર પેકેટ મળે અથવા લીંબુનું શરબત, ખાંડ- મીઠું- નાખી બનાવો વારંવાર થોડું થોડું ચમચીમાંથી આપો સામાન્ય ઉલ્ટી થતી હોય તો પણ આપનું બાળક લે એટલું અપાય, વધુ જશે તો કોઈ નુકસાન નથી.

યાદ રાખો : 'ચપટી મીઠું ને ખાંડ, લાખોના બચાવે પ્રાણ' તૈયાર પેકેટ સુચના મુજબ ૧ ગ્લાસ ઉકાળેલા પાણીમાં બનાવો. બનાવ્યા પછી ૬ કલાક સુધી ઢાંકીને રાખી શકાય. કશું ય ન લેતા સાદુ પાણી અને ધાવણ તો ચાલુ જ રાખો. ઉપરનો બીજો ખોરાક- પ્રવાહી પણ અપાય. ડાયલ્યુટ કરેલું ઉપરનું કોઈ પણ દૂધ- કોફી આપી શકાય અને બને ત્યાં સુધી બાટલીથી નહી આશરે દરેક ઝાડાદીઠ ૧૫૦- ૨૦૦ મિ.લી. પ્રવાહી શરીરમાં જવું જોઈએ. પાતળા દાળ-ભાત, ખીચડી, સેરેલેક, રાબ, કાંજી, ખીર, દહી, છાશ વિગેરે દાક્તરી સલાહ મુજબ આપો. ખોરાક ગળ્યો લાગે તેવો બનાવો. જે વસ્તુ ભાવે તે બહુ પ્રમાણમાં બનાવો. દાડમ, ચીકુ, સફરજન, કેળા વધુ પ્રમાણમાં આપો. નિયમિત દવા આપો, દવામાં ગળપણ નાખીને આપો.

દવા આપ્યા પછી ૨૦ મિનિટમાં ઉલ્ટી થાય તો દવા ફરીથી આપો અને તાવ હોય તો દવા આપો અને પોતા મૂકો. ડોક્ટરના સંપર્કમાં રહો. સમયાંતરે વજન, યુરીન આઉટપુટ અને લીધેલા પ્રવાહીની માહિતી રાખો. પહેલા ઉલટી ઓછી થશે તો ઝાડાનું પ્રમાણ અને પ્રવાહિતા ઘટશે, પછી સંખ્યા ઘટશે બેથી સાત દિવસ લાગશે ઝાડા મટયા પછી બે અઠવાડિયા સુધી એક 'એક્સ્ટ્રા ફીડ' વધુ પ્રમાણમાં ઘન, ખોરાક આપવો. તેનાથી 'કેચ અપ ગ્રોથ' મળશે. રોગ માટે સતર્ક રહો. દાંતના ઝાડાની પણ સારવાર તો કરાવવી જ. લાપરવાહી ન રાખશો.

રોગ અટકાવો : ધાવણ એક વર્ષ સુધી ચાલુ રાખો. બાટલીથી દૂર રહો, બાળકને જમ્યા પહેલા સંડાસ ગયા પછી, રમીને આવે ત્યારે, માતા રાંધે કે દૂધ તૈયાર કરે કે બાળકને ખવડાવે સાબુથી હાથ ધોવા, ઓરીની રસી મૂકાવવી.

Tags :