કોરોના - હર્ષદ રાવલ
બહેરાશ અને કાનના રોગોની સારવાર
શરદીનો કોઠો હોય તેવી વ્યક્તિઓને કાનની તકલીફો વધારે થાય છે. શિયાળાની ઠંડીમાં આ તકલીફમાં વધારો થાય છે
કાનના રોગોમાં કાનની બહેરાશ વ્યક્તિને કુટુંબ તથા સમાજથી દૂર કરી દેતો હોય તેવો દર્દીને ભાષ થાય છે. બહેરાશ એ અસાધ્ય રોગ નથી પરંતુ તેના મૂળમાં જઈ દર્દીના લક્ષણો તથા મેડિકલનો ઈતિહાસ તપાસતા દર્દીને ભુતકાળમાં કાનના ઈન્ફેક્શન, આધુનિક દવાની સાઈડ ઈફેક્ટસ, જુની શરદી, વધારે ડાયાબીટીસ વગેરે કારણો જવાબદાર છે.
કાનના રોગો બહેરાશની સાથે સાથે કાનમાં આવતા અવાજો કાનમાં તમરા બોલતા હોય, બમરાનો સતત અવાજ, મંદિરનો ઘંટ વાગતો હોય, ગાડીની સીટી વાગતી હોય, પાણીનો ખરખર અવાજ, પડઘાઓ પડતા હોય તે થવાનું કારણ શરીર વાયુ પ્રકોપ તથા કાનની નસ સૂકાવાના કારણે આ રોગ ઉભુ થાય છે.
કાનની વિવિધ તકલીફોમાં કાનમાં બહેરાશ આવી કાનમાં લપકારા મારતો દુખાવો થવો અને પરુ નીકળવું, કાનમાં વિવિધ અવાજો સંભળાયા કરે, ધાક પડી જાય. આ તકલીફો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે. નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી કોઈને પણ કાનની તકલીફ થઈ શકે છે.
કાન એ આપણી મહત્ત્વની ઈન્દ્રિય છે એ સાંભળવાનું કાર્ય કરે છે. કાન ને નાક અને ગળા સાથે જોડાયેલા છે એટલે નાક કે ગળામાં કોઈ તકલીફ થાય, ચેપ લાગે, કાકડા થાય, ગળામાં સોજો આવે તો તેના કારણે પણ કાનમાં તકલીફ થતી હોય છે.
કાનમાં થતા તીવ્ર લપકારા મારતા દુ:ખાવા રસી માટેના કારણમાં કાનના પડદામાં કાણુ, કાનના હાડકામાં સડો કે કાનમાં નસો હોઈ શકે. આ ઉપરાંત કાનમાં ઈજા થવાથ ી જૂની શરદી સાયનસ, જૂનુ ઈન્ફેક્શન, બેક્ટેરિયા કે ફૂગના કારણે એમાં ચેપ લાગવાથી કાનમાં રસી થતી હોય છે.
કાનની જુદી જુદી તકલીફો માટે જુદા જુદા કારણો જવાબદાર હોય છે. એમાં પણ શરદીનો કોઠો હોય તેવી વ્યક્તિઓને કાનની તકલીફો વધારે થાય છે. શિયાળાની ઠંડીમાં આ તકલીફમાં વધારો થાય છે.
આમાં તમારા રોગ માટેના કારણનું સાચું નિદાન ખૂબ જરૃરી છે. કાનમાં સડો હોય અને તેની સમયસર સારવાર લેવામાં ન આવે તો તેને કારણે બીજી સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. જેમ કે માથું દુખે, ચક્કર આવે, ચાલવામાં સમતોલન ન રહે, ક્યારેક દર્દી બેભાન થઈ જાય, તાવ પણ આવે. કાયમી બહેરાશ આવી જાય, સડો વધી જાય તો શરીરના બીજા અંગો સુધી પ્રસરી શકે છે. તેને કારણે મગજ અને જ્ઞાનતંતુઓના નુકસાન થઈ શકે છે અને મોં વાકું થઈ જાય કે લકવાની અસર થાય.
આમાં કાનમાંથી સફેદ પીળાશ, લીલાશ કે રાતા રંગનું ખૂબ વાસ મારતું પરુ આવ્યા કરતું હોય છે. દુખાવો માથાના ઉપરના ભાગમાં કપાળ, ગળા અને ડોક સુધી પ્રસરે છે તેના કારણે ક્યારેક કાનમાં ધાક પડી જાય તેવું લાગે અથવા વિવિધ પ્રકારના અવાજો થયા કરે, જેમકે તમારા બોલવા કે સીટી કે ઝાલર વાગે, પાંદડા કે કાગળ ખખડવા પવન ફૂંકાતો હોય તેવો કે પોતાના જ અવાજનો પડઘો સંભળાય, બહેરાશ આવવા લાગે.
હોમિયોપેથીક દવામાં કાલીમૂર્ગ દવાની પાંચ ગોળી દર અઠવાડિયે એકવાર લેવાથી કાનની બહેરાશ, કાનના અવાજો જેને મેડિકલ ભાષામાં ટીનાઈટ્સ કહે છે. કાનમાં રશી આવવી, કાનમાં ખુજલી તથા શુષ્ક કાનના રોગોમાં ઉપરોક્ત દવા અકસીર સાબિત થઈ છે. કાનના રોગો માટેની દવા જાતે ન કરતા વિખ્યાત હોમિયોપેથીક તબીબના નેજા હેઠળ સારવાર લેવી ખૂબજ આવશ્યક છે. જેની દર્દીએ નોંધ લેવી.